By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 hours ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવતીપરામાં પ્રેમલગ્નના પાંચ મહિનામાં જ નવોઢાએ સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભગવતીપરામાં પ્રેમલગ્નના પાંચ મહિનામાં જ નવોઢાએ સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાયું

Editor
Last updated: 2026/07/23 at 3:44 PM
2 hours ago
Share
ભગવતીપરામાં પ્રેમલગ્નના પાંચ મહિનામાં જ નવોઢાએ સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાયું
SHARE

ભગવતીપરામાં પ્રેમલગ્નના પાંચ મહિનામાં જ નવોઢાએ સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાયું

સાસુ-નણંદના મેણાં, પતિની મારઝૂડ અને ‘મરી જશે તો અમારા ઘરમાં જગ્યા થશે’ જેવા અપમાનજનક શબ્દોથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાધો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસનો વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. ભગવતીપરા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય નવોઢાએ પતિ, સાસુ અને નણંદના સતત અપમાન, કંકાસ અને મારઝૂડથી કંટાળી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાને લઈને મૃતકના પિતાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ મોચી બજાર વિસ્તારના ચામડીયા ખાટકીવાડમાં રહેતા રિક્ષાચાલક મહમદભાઈ દાઉદભાઈ તરકવાડિયાની પુત્રી રૂમાનાએ લગભગ એક વર્ષ પહેલાં સલીમ ઇબ્રાહિમ બાવનકા સાથે મિત્રતા કરી હતી. બંને લગ્ન કરવા ઇચ્છતા હોવાથી પરિવારની સંમતિથી 8 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ રૂમાના ભગવતીપરા સ્થિત સાસરિયામાં રહેવા ગઈ હતી.

પરંતુ લગ્નજીવનના થોડા જ મહિનાઓમાં ઘરકામ જેવી સામાન્ય બાબતોને લઈને સાસુ શરીફાબેન અને નણંદ અફસાનાબેન સતત મેણાં-ટોણાં મારવા લાગ્યા હતા. રૂમાના આ અંગે પતિ સલીમને ફરિયાદ કરતી તો તે પત્નીને જ ચૂપ રહેવા કહેતો અને ઘણી વખત મારઝૂડ પણ કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મૃતકના પિતાના જણાવ્યા મુજબ રૂમાના પિયર આવતી ત્યારે વારંવાર સાસરિયામાં સહન કરવો પડતો ત્રાસ વર્ણવતી હતી. પાડોશી મહિલાઓને પણ તેણીએ કહ્યું હતું કે, માતા-પિતા વૃદ્ધ હોવાથી તેમને દુઃખ ન પહોંચે તે માટે બધું સહન કરે છે, પરંતુ જો આ રીતે ત્રાસ ચાલુ રહેશે તો પોતે જીવતું નહીં રહે.

બે-ત્રણ દિવસ પહેલાં રૂમાનાએ પિતાને ફોન કરીને તરત જ સાસરેથી લઈ જવાની વિનંતી કરી હતી. ત્યારબાદ માતા-પિતા તેને તેડવા માટે સાસરિયામાં પહોંચ્યા હતા. ત્યારે દીકરીને સાથે મોકલવાની વાત કરતાં સાસુએ તેને ઘરકામ આવડતું નથી કહી અપમાનિત કરી હતી. જ્યારે નણંદે તો કથિત રીતે કહી દીધું હતું કે, “તમારી દીકરી મરી જશે તો અમારા ઘરમાં જગ્યા થશે.” આ શબ્દો રૂમાનાના મન પર ભારે અસર કરી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ દરમિયાન પતિ સલીમે સસરાને ધક્કો મારી ઘરની બહાર કાઢી દરવાજો બંધ કરી દીધો હતો. પરિણામે માતા-પિતાને દીકરીને લીધા વિના પરત ફરવું પડ્યું.

ઘટનાના દિવસે બપોરે મૃતકના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે રૂમાનાએ ઘરના ઉપરના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે અને તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રૂમાનાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મૃતકના પિતા મહમદભાઈ તરકવાડિયાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે પતિ સલીમ ઇબ્રાહિમ બાવનકા, સાસુ શરીફાબેન બાવનકા અને નણંદ અફસાનાબેન બાવનકા વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓને કાયદાની જાળમાં લેવા તેમજ સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો
રાજકોટ

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

Editor By Editor 2 days ago
ઉનાના નાદરખમાં ખનિજ માફિયાનો કહેર,પુર સંરક્ષણ પાળો તોડી 60 પરિવારોને બરબાદ કર્યાં 
સાસણના ૫૦ ચિત્તલ સુરતના માંડવીના જંગલમાં લવાયા
રાજકોટ મનપાની લાલ આંખ: ૨૦ દિવસના મેગા ચેકિંગમાં ૧૧૦૦ વેપારીઓ રડારમાં, ૨૮ પેઢીઓ સીલ અને ૭ લાખનો દંડ
રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?