પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રહીશ અને અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ રાજકોટથી પ્રસિદ્ધ થતા અવાઝ સૌરાષ્ટની અખબારના તંત્રી અને લોકમુખના સહતંત્રી પ્રકાશભાઈ જનકભાઈ ગરેયાનો સોમવારે ૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ જન્મદિવસ છે. તેઓના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય મહારક્તદાન અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શહેરના વિદ્યાનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ પાસે આવેલી રાષ્ટીય શાળામાં સવારના ૯:૩૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી યોજાશે.
આ સેવાકીય કેમ્પના મુખ્ય સહયોગી તરીકે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય સહિતની સમગ્ર ટીમ સેવા આપશે. કેમ્પમાં ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડના ડો. પ્રકાશ મોઢા ની ટીમ રક્તદાન અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન માટે ખડે પગે રહેશે અને સતત જહેમત ઉઠાવશે. આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને જો કોઈ અગત્યના રિપોર્ટ કરાવવાના થાય, તો ગોકુલ હોસ્પિટલમાં ૨૦ ટકા ઓછા દરે રિપોર્ટ કરી આપવામાં આવશે. તેમજ આઇ.ફોરેસ્ટ ચશ્મા ઘર દ્વારા બે તાલાના ચશ્મા મફત તથા નંબર વાળા ચશ્મામાં ૩૫% ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. મહા રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાને સન્માન પૂર્વક પ્રોત્સાહક ગિફૂટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.
રક્તદાન કેમ્પમાં વિદ્યાનગર મેઈન રોડ સ્થિત ઓલમ્પસ હોસ્ટિલના ડો. મિહિર તન્ના અને તેમની સમગ્ર ટીમ તેમજ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ ઓલમ્પસ હોસ્પિટલ દ્વારા ૨૦% ઓછા દરે રીપોર્ટ કરી આપવામાં આવશે. પ્રકાશભાઈ ગરેયાના જણાવ્યા મુજબ, મહારક્તદાન કેમ્પ દરમિયાન શહેરના નામાંકિત તબીબો પોતપોતાની અમૂલ્ય સેવાનો લાભ આપનાર હોય, બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરવા અને દર્દીઓને નિદાનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


