રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
કરોડરજ્જુના ઓપરેશનનો એઈમ્સમાં પ્રારંભ: અમદાવાદ સુધીના ધક્કામાંથી દર્દીઓને મળી મુક્તિ
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) રાજકોટ ખાતે અદ્યતન સ્પાઇન સર્જરી (કરોડરજ્જુની સર્જરી) સેવાઓનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અત્યંત જટીલ સર્જરી ઓર્થોપેડિક્સ વિભાગે પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી ને સફળતાપૂર્વક પૂર્ણ કરીને દર્દી ખુબ સારી સારવાર આપી અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.
(ઉંમર 78 વર્ષીય મહિલા) છેલ્લા બે વર્ષથી કમરના અસહ્ય દુખાવા થી પીડાતા હતા,બંને પગમાં સતત દુખાવો તથા પગમાં નબળાઈ ની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમની સ્થિતિ એવી બની ગઈ હતી કે તેઓ થોડાં પગલાં પણ ગંભીર પીડા વિના ચાલી શકતા નહોતા, જેના કારણે તેમના દૈનિક જીવન પર પણ નોંધપાત્ર અસર પડી હતી.
એઈમ્સ રાજકોટ ના વરિષ્ઠ ફેકલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી નિષ્ણાતોની તબીબી ટીમ દ્વારા વિસ્તૃત તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્યાંકન દરમિયાન તેમને લંબર કેનલ સ્ટેનોસિસ (Lumbar Canal Stenosis) હોવાનું નિદાન થયું હતું. આ કરોડરજ્જુનો એવો ગંભીર રોગ છે જેમાં સ્પાઇનલ કેનલ સાંકડી થઈ જવાથી કરોડરજ્જુ ની નસો પર દબાણ સર્જાય છે, જેના પરિણામે કમરના દુખાવા, પગમાં દુખાવો, સુનકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્કેલી જેવી ગંભીર તકલીફ ઊભી થાય છે.
દર્દીની સફળતાપૂર્વક મલ્ટી-લેવલ લંબર ડિકમ્પ્રેશન અને સ્પાઇનલ ફિક્સેશન સર્જરી કરવામાં આવી. આ અત્યંત જટિલ અને ઉચ્ચ તકનીકી કુશળતા માગતી સર્જરી છે, જેમાં ઓપરેશન દરમિયાન લમ્બો સમય, અદ્યતન સર્જિકલ ટેક્નિક અને અનુભવી મલ્ટી-ડીસીપ્લીનરી ટીમ ની આવશ્યકતા રહે છે.
આ જટિલ સર્જરી નું નેતૃત્વ ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડૉ. કુલભૂષણ કંબોજ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે ટીમ માં ડૉ. હર્ષિલ અને ડૉ. હાર્દિક દ્વારા સર્જિકલ સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે એનેસ્થેસિયોલોજી વિભાગના ડો.વિક્રમવર્ધન,ડો.અનિતા અને તેમની ટીમે સમગ્ર સર્જરી દરમિયાન સફળ એનેસ્થેટિક વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આ જટિલ સર્જરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એલ. એન. દોરાયરાજનના પ્રોત્સાહન, માર્ગદર્શન તેમજ હોસ્પિટલ પ્રશાસનના સંપૂર્ણ સહયોગથી સફળતાપૂર્વક શક્ય બની હતી.
સર્જરી બાદ દર્દી ની તબિયત માં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. ઓપરેશનના ચોથા જ દિવસે દર્દી સ્વયં ચાલવા લાગ્યા હતા અને દસમા દિવસે તેમની સ્થિતિ સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ સફળતા એઇમ્સ રાજકોટ દર્દી-કેન્દ્રિત, ગુણવત્તાસભર અને અદ્યતન સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા નું પ્રતિબિંબ છે. સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડરજ્જુના જટિલ રોગો થી પીડાતા દર્દીઓ માટે આશાનું નવું કિરણ સાબિત થશે.
એઇમ્સ રાજકોટ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.એલ.એન.દોરાયરાજન ના માર્ગદર્શન હેઠળ સંસ્થા દર્દીઓને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત કાર્યરત છે. સ્પાઇન સર્જરી ની આ સફળતા બદલ તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


