રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર
આપણી બેંક પારિવારિક સંસ્થા છે હંમેશા સહુનું ધ્યાન રાખે છે : દિનેશભાઇ પાઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં કાર્યરત જાગૃત કર્મચારી મંડળ અને બેંક સંચાલક મંડળ વચ્ચે તા. ૧ જુલાઇ ૨૦૨૬થી અમલમાં આવે તે રીતે કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર થયું છે. અગાઉનું સેટલેમેન્ટ તા. ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થતું હતું. ઘણી બધી સંસ્થામાં સમય પૂર્ણ થઈ જાય તેના છ–બાર માસ કે બે-ચાર વર્ષ વીતી જાય તો પણ સેટલમેન્ટ થતું ન હતું જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં સમય અવધિ પૂર્ણ થાય તે પહેલા સેટલમેન્ટ મંજૂર થયું છે. જે સંસ્થાના વિકાસ માટે સારી નિશાની દર્શાવે છે.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, “આપણી બેંક પારિવારિક સંસ્થા છે હંમેશા સહુનું ધ્યાન રાખે છે. સહુના સુખ દુ:ખમાં આપણે સહુ સાથે જ છીએ. આપણે સહુએ આપણી ઓળખ એવી રીતે આપવી જોઈએ કે રૂ. ૧૨,૦૦૦ કરોડનો બિઝનેસ મિક્સવાળી બેંકમાં હું કામ કરું છું અથવા તો ગુજરાતની ટોપ-૫ સહકારી બેંકમાં કામ કરું છું. આનાથી આપણે કેવડી મોટી સંસ્થામાં કામ કરીએ છીએ તેની લોકોને માહિતી મળે છે. આપણે પણ આ રીતે ઓળખ આપીએ અને અન્ય કર્મચારીને પ્રેરણા આપીએ. નાગરિક બેંક, આપણી બેંક સૂત્રને અપનાવીએ. કામમાં દક્ષતા લાવીએ, ભૂલ ન કરીએ. ચૂકની જગ્યા ન રાખીએ. સમયસર કામ કરીએ. ગ્રાહકને સંતોષ થાય અને મજા આવે તેવું વાતાવરણ પૂરું પાડીએ. તેમની વાત સાંભળીએ.”
આ કાર્યક્રમમાં બેંક પરિવારમાંથી દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેક્ટરગણમાંથી સીએ. ચંદ્રેશભાઈ ધોળકિયા, માધવભાઈ દવે, અશોકભાઇ ગાંધી, હસમુખભાઇ ચંદારાણા, મંગેશજી જોશી, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, વિક્રમસિંહ પરમાર, સીએ. ભૌમિકભાઈ શાહ, સીએ. બ્રિજેશભાઈ મલકાણ, સીએ. દીપકભાઈ બકરાણીયા, ચિરાગભાઈ રાજકોટિયા, દેવાંગભાઈ માંકડ, હસમુખભાઇ હિંડોચા, ડો. એન. જે. મેઘાણી, લલિતભાઈ વોરા, શૈલેશભાઈ મકવાણા (કો ઓપ્ટ), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચૂરા (ડીજીએમ), ભાવેશભાઈ રાજદેવ (સેટલમેન્ટ કમિટી), અલ્પેશભાઈ વ્યાસ (ચીફ મેનેજર-એચઆર), જાગૃત કર્મચારી મંડળના વિપુલભાઈ દવે (પ્રમુખ), તૃપ્તિબેન જોશી (ઉપપ્રમુખ), ભરતભાઇ કુંવરીયા (મંત્રી), જીજ્ઞેશભાઈ દવે (સહમંત્રી), રોપેશભાઈ દેવાણી (ખજાનચી), રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.માંથી આકાશભાઈ વાછાણી (પ્રમુખ), શ્રી કાજલબેન તન્ના (ઉપપ્રમુખ), મનસુખભાઇ ગજેરા (મંત્રી) ઉપરાંત ઉમેદભાઈ જાની (સ્ટાફ રિલેશન અધિકારી) ઉપસ્થિત રહ્યા હતા.


