રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના સતત સંઘર્ષને સમર્પિત વિજય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય માર્ચ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ સરદાર પટેલજી ની પ્રતિમા સુધી પહોંચ્યો હતો. દેશભરના વિદ્યાર્થીઓએ પેપર લીક કૌભાંડો, શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર સામે જે અવિરત લડત લડી છે તેમજ કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીના દૃઢ અને સતત સંઘર્ષના પરિણામે કેન્દ્રના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. આ વિજય માર્ચ વિદ્યાર્થીઓ અને યુવાનોની આ ઐતિહાસિક જીતને સમર્પિત રહ્યો હતો.અને નીટ ના પેપર લીક થાય બાદ અનેક વિધાર્થીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેઆ દેશ માટે બહુ દુઃખદ બાબત છે ભ્રષ્ટાચારી આ શાસન સામે દેશ ના યુવાનો ના જીવ દાવ પર લાગે અને આત્મહત્યા કરવાનો વારો આવે એના થી વધુ આ દેશ ની વિકટ પરિસ્થિતિ ના હોય શકે. એ તમામ નિર્દોષ વિધાર્થીઓ જેમને પોતાની જીવ ગુમાવ્યો છે એમને શ્રધાંજલિ અર્પણ કરીએ છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશના ભવિષ્ય સમાન યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલો અન્યાય હવે અસહ્ય બની ગયો હતો. વારંવાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બની, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થયા. પરંતુ વિદ્યાર્થીઓના અડગ સંઘર્ષ અને શ્રી રાહુલ ગાંધીજીના સતત સમર્થન અને અવાજના કારણે આખરે સરકારને જવાબદારી સ્વીકારવાની ફરજ પડી અને કેન્દ્રીય શિક્ષણમંત્રીનું રાજીનામું એ વિદ્યાર્થીઓની લડતની મહત્વપૂર્ણ જીત બની છે.
આ કાર્યક્રમ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા તેમજ જશવંતસિંહ ભટ્ટી દિનેશ મકવાણા મુકેશભાઈ ચાવડા અતુલભાઇ રાજાણી,સંજયભાઈ અજુડિયા તુષાર નંદાણી નીતિનભાઈ ભંડેરી મેહુલભાઈ મકવાણા આદિત્યસિંહ ગોહિલ દિપ્તીબેન સોલંકી રસીલાબેન ગરૈયા ઇબ્રાહીમભાઇ સોરા , ગોપાલભાઈ, દીપ ભંડેરી નરેન્દ્ર પટેલ સોહિલભાઈ જરીયા જલ્પેશ વાઘેલા યજ્ઞેશ દવે,રતિલાલભાઈ ડોબરીયા પરેશભાઈ ગઢીયા સુરેશભાઈ, હબીબભાઈ મનીષાબા વાળા ભાવનાબેન વાઘેલા નયનાબા જાડેજા યોગીતા બા, જાડેજા, કરીનાબેન, હેમાંગીની બેન, જશુબેન દીપુ રવિયા,શાંતાબેન મકવાણા, વહીદાબેન, લલીતાબેન ગઢવી,જયદીપ માયાત્રા, દિલીપભાઈ આસવાણી,ગોવિંદ સભાયા, જીતેન્દ્રભાઈ ઠાકર યુનુસ ભાઇ જુણેજા, સુનિલ ભાઈ, ગૌરવ પૂજારા, મયુરભાઈ શાહ, સલીમભાઈ કારીયાણી અક્ષાંશભાઈ ગોસ્વામી બીપીનભાઈ રાઠોડ રઘુરામ યાદવ વિજયસિંહ જાડેજા મિલિંદ ભાઈ પરમાર અશોકભાઈ વાળા શ્યામભાઈ બારોટ મથુરભાઈ માલવી ગોપાલ મોરવાડિયા હાર્દિક પટેલ નિલેશભાઈ વિરાણી અરવિંદભાઈ કમલેશભાઈ મકવાણા રમેશભાઈ ડેયા, મનસુખ જાદવ,જયદીપ સોલંકી ,ધવલ રાઠોડ, ફેનીલ વોરા,રાહુલ સોલંકી,રાજુભાઈ તેમજ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


