ચાંદીપુરાથી બચાવવા બાળકોને મચ્છરદાનીનું રક્ષણ આપો : નિષ્ણાંતો
નિષ્ણાંત તબીબો દ્વારા બાળકોને સુરક્ષીત રાખવા વિવિધ સૂચનો
અગ્ર ગુજરાત, રાજકોટ
આજકાલ આપણે અવારનવાર ન્યૂઝમાં સાંભળતા કે વાંચતા હોઇએ છીએ કે બાળકોમાં ચાંદીપુરા વાયરસના ચેપથી ૦ થી ૧૫ વર્ષોના બાળકોના મૃત્યુ થાય છે, આ ચાંદીપુરા વાયરસ શું છે? અને તેનાથી બાળકોને સુરક્ષિત રાખવા માટે આપણે શું કરવું જોઇએ તે જાણીએ. આપણે ત્યાં સૌ પ્રથમ આ વાયરસ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં 1965 માં જોવા મળેલ, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ નામથી ઓળખાય છે. ચાંદીપુરા વાયરસ એક દુર્લભ ભાગ્યે જ જોવા મળતો ગંભીર-ખતરનાક વાયરસજન્ય ચેપ છે. જે મોટા ભાગે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને રોગગ્રસ્ત કરે છે. આના ઇન્ફેક્શન લાગવાથી સંક્રમીત થવાથી • અચાનક તાવ આવે છે• માથાનો દુઃખાવો થાય છે • શરીરમાં નબળાઇ આવે છે . બોલવા ચાલવામાં તકલીફ થાય છે. • ઊલટી થાય છે• ઉંઘ આવે છે• મગજમાં સોજા આવવાથી આંચકી આવે છે • બાળક બેભાન-કોમા માં જઇ શકે છે. આ ચાંદીપુરા વાયરસ મોટા ભાગે સૅન્ડફ્લાય (sandfly) નાની માખી દ્વારા અને ક્યારેક મચ્છર અને રક્તચૂસક જીવાતો દ્વારા પણ ફેલાય છે.આ સૅન્ડફ્લાય ભેજવાળી જગ્યામાં-ગંદા પાણીના ખાબોચીયામાં-કુંડામાં-ભેજવાળી દિવાલોમાં-ઢોરના તબેલામાં ગંદકી ભરેલા કચરા પેટીમાં -છાણમાં વગેરે ગંદા ભેજવાળા સ્થળોએ જોવા મળે છે, ટૂંકમાં ભેજવાળા-ગંદકી સ્વચ્છતાના અભાવથી આ વાયરસ ફેલાઇ છે. આપણી આજુબાજુ સ્વચ્છતા જાળવવાથી-બાળકોને ફુલ બાંયના કપડા પહેરવાથી અને મચ્છરદાનીના ઉપયોગથી આ વાયરસથી બચી શકાય છે. ચાંદીપુરા વાયરસ ઉપર જનજાગૃતિ માટે ફેડરેશન પ્રમુખ પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ. વી. વેકરીયા, સેક્રેટરી ડૉ. કિશોર દેવલીયા અને ચેરપર્સન ડો. નરેન્દ્ર વિસાણી દ્વારા લેખન સંકલન કરેલ છે.


