કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ
નેતૃત્વ, સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
જિલ્લા સહકારી સંઘ દ્વારા કણસાગરા કોલેજ ખાતે છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સહકારી ચળવળના સિદ્ધાંતો, મહિલા સશક્તિકરણ, નેતૃત્વ, સ્વરોજગાર અને સહકારી ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ શિબિરમાં કોલેજના **ટી.વાય. (ત્રીજા વર્ષ)**ના 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન જિલ્લા સહકારી સંઘના પાર્થભાઈ શિબીર માં જોડાયેલા વિધાર્થીઓને ઉદાહરણ અને (ગોપાલ ડેરીમાં) પ્રેકટીકલ માહિતી આપવામાં આવેલ, અને જયશ્રીબેન દ્વારા સહકારી ક્ષેત્રનું મહત્વ, મહિલા સહકારી મંડળોની કામગીરી, નાણાકીય સશક્તિકરણ, આત્મનિર્ભરતા તેમજ સહકારી ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા પણ ઉપયોગી માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. જિલ્લા સહકારી સંઘ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ પલાણના માર્ગદર્શન મુજબ, અધ્યક્ષ પ્રો. રાજેન્દ્ર સેજલીયા જણાવ્યુ કે સહકારી ચળવળના મૂલ્યોને જીવનમાં અપનાવી સમાજના વિકાસમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. પુષ્પાબેન સોલંકી અને રેણુકા ચાવડા દ્વારા સહકાર શિબિર નું સંચાલન કર્યું હતું. શિબિરના અંતે વિદ્યાર્થીઓએ સહકારી ક્ષેત્ર અંગે નવી સમજ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો.


