By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

Editor
Last updated: 2026/06/30 at 3:46 PM
15 minutes ago
Share
નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી
SHARE

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

માલધારી ચોકમાં સૂરજ ડેરની ઓફિસ નજીક સામાન્ય બોલાચાલી હિંસક સંઘર્ષમાં ફેરવાઈ ; પ્રતાપ ઉર્ફે પત્યો જાડેજા સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના નહેરૂનગર વિસ્તારમાં મંગળવારની રાત્રે બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. સૂરજ ડેરની ઓફિસ નજીક શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષના શખ્સો એકબીજા પર તૂટી પડ્યા હતા. ઘટનામાં એક વ્યક્તિને છરીના ઘા વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ બંને પક્ષોએ એકબીજા સામે જાનથી મારી નાખવાની ધમકી, મારામારી અને હથિયાર વડે હુમલાના આક્ષેપો સાથે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષના કુલ છ શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. 4માં રહેતા અને મજૂરીકામ કરતા 28 વર્ષીય કરણભાઈ જીલુભાઈ કુંભારવાડિયાએ પ્રતાપસિંહ ઉર્ફે પત્યો સુખદેવસિંહ જાડેજા, હેમાંગ ઉર્ફે હેમભા સુખદેવસિંહ જાડેજા અને ભાવિન દેવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે કરણભાઈ સૂરજ ડેરની ઓફિસમાં બેઠા હતા, જ્યારે તેમના સગા અર્જુન કુંભારવાડિયા, યુવરાજ કુંભારવાડિયા અને અન્ય મિત્રો ઓફિસની બહાર બેઠા હતા. આ દરમિયાન પ્રતાપસિંહ ઉર્ફે પત્યો ત્યાં આવી પહોંચ્યો હતો અને કોઈ કારણ વિના બહાર બેઠેલા યુવકોને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. હોબાળો થતાં કરણભાઈ પણ બહાર આવ્યા હતા. ત્યારે પ્રતાપસિંહ યુવરાજ સાથે ઉગ્ર બોલાચાલી કરી તેને તમાચા મારવા લાગ્યો હતો. યુવરાજે વિરોધ કરતાં પ્રતાપસિંહે કથિત રીતે તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ મુજબ થોડા જ સમયમાં પ્રતાપસિંહનો ભાઈ હેમાંગ ઉર્ફે હેમભા અને તેનો મિત્ર ભાવિન દેવડા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. હેમાંગે યુવકના વાળ પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ છરી કાઢી હુમલો કરતાં હાથના ભાગે ઘા પહોંચ્યો હતો. હુમલા દરમિયાન કરણભાઈની પત્ની ધારા અને માતા ભાવનાબેન વચ્ચે પડતાં તેમને પણ ગાળો આપી માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આસપાસના લોકો એકત્ર થતાં હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા.
બીજી તરફ આ જ બનાવમાં સામાપક્ષે પણ અલગ ફરિયાદ નોંધાવી છે. નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. 5માં રહેતા અને ટિફિન સર્વિસનો વ્યવસાય કરતા 29 વર્ષીય હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજાએ કરણ જીલુ કુંભારવાડિયા, અર્જુન નરેશ કુંભારવાડિયા અને યુવરાજ નરેશ કુંભારવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. હિમાનસિંહના જણાવ્યા મુજબ તેમને તેમના મિત્ર ભુપતનો ફોન આવ્યો હતો કે તેમના ભાઈ પ્રતાપસિંહ સાથે માલધારી ચોક પાસે ઝઘડો ચાલી રહ્યો છે. તેઓ તરત જ સૂરજ ડેરની ઓફિસ પાસે પહોંચ્યા હતા, જ્યાં કરણ, અર્જુન અને યુવરાજ ત્રણેય મળીને પ્રતાપસિંહને માર મારી રહ્યા હતા. તેઓ ભાઈને છોડાવવા વચ્ચે પડતા ત્રણેયે તેમની સાથે પણ ઝઘડો શરૂ કર્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે કરણ કુંભારવાડિયાએ કમરના ભાગેથી છરી કાઢી હિમાનસિંહના હાથમાં ઘા ઝીંક્યો હતો, જેના કારણે તેમને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ ભુપત અને ભાવિન દેવડા સહિત અન્ય લોકો વચ્ચે પડતાં વધુ મોટો બનાવ બનતો અટક્યો હતો. ઇજાગ્રસ્ત હિમાનસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે નહેરૂનગર અને માલધારી ચોક વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોની ફરિયાદના આધારે પ્રતાપસિંહ ઉર્ફે પત્યો જાડેજા, હેમાંગ ઉર્ફે હેમભા જાડેજા, ભાવિન દેવડા તેમજ કરણ કુંભારવાડિયા, અર્જુન કુંભારવાડિયા અને યુવરાજ કુંભારવાડિયા સહિત કુલ છ શખ્સો સામે મારામારી, ધમકી અને હથિયાર વડે હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ હાલમાં સમગ્ર ઘટનાના કારણો, બંને જૂથ વચ્ચે અગાઉથી કોઈ અદાવત હતી કે નહીં અને ઝઘડાની સાચી હકીકત જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનો એકત્ર કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બંને પક્ષે એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા હોવાથી પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ તપાસ આગળ વધારી રહી છે.

You Might Also Like

વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત

ચોટીલા દર્શનથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત: બાઈક સ્લીપ થતાં પતિનું મોત

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક

 મનપાનો અનોખો પ્રોજેકટ! મોબાઇલથી દૂર રાખવા રમકડાં ગ્રંથાલયનો કરાયો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હર…હર…મહાદેવ રાજકોટથી અમરનાથ યાત્રાનું ટ્રેનનું પ્રસ્થાન
રાજકોટ

હર…હર…મહાદેવ રાજકોટથી અમરનાથ યાત્રાનું ટ્રેનનું પ્રસ્થાન

Editor By Editor 21 minutes ago
સ્થાનિક ટીપ પરથી ઘડાયો હતો કરોડોની લૂંટનો સમગ્ર પ્લાન
ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો લો-કાર્બન સિમેન્ટ પ્લાન્ટ
પી.એમ. શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ‘બાળસંસદ’ની ચૂંટણી યોજાઈ: ૯૮% જંગી મતદાન
ફોર્ચ્યુન મિલ્ક, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?