શ્રી આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય આયોજન
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
૧૧ નવદંપતિઓ લગ્નજીવનમાં પદાર્પણ કરશે : આયોજકોએ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાત લીધી
શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઇધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે
ચારણીય સમાજના યુવાનો-વડિલોમાં મોગલના આંગણે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સંકલ્પ લેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઈવે પર વડલી ચોકી જારીડાનાં પાટીયા પાસે સમસ્ત ચારણીયા સમાજના આત્મગૌરવનાં પ્રતિક સમાન દિવ્ય ‘શ્રી આઈધામ’ (મોગલ મંદિર) ખાતે આઈશ્રી મોગલ માતાજી બીરાજમાન છે, જયાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૬ ને રવિવાર વૈશાખ વદ-૮ ના પાવન દિવસે સમસ્ત ચારણીયા સમાજનો ભવ્ય દ્વિતીય સમુહ લગ્નોત્સવ યોજવામાં આવનાર છે. જે દિવ્ય પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે-ગામડે ચારણીયા સમાજનાં ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે. પરીણામે ચારણીયા સમાજમાં પણ જબરો ઉત્સાહ છવાયો છે.
વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઈવે પર વડલી ચોકી જારીડાનાં પાટીયા પાસે બાર વોકળી ખાતે બીરાજમાન પૂ. આઈશ્રી મોગલ માતાજીનાં મંદિર ‘આઈધામ’ ખાતે ‘સમસ્ત ચારણીયા સમાજનાં સમુહ લગ્ન વર્ષ ૨૦૨૬’ અંતર્ગત તા. ૧૦/૦૫/૨૦૨૬ ને રવિવારનાં પાવન દિવસે ચારણીયા સમાજનાં આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ પરિવારોના ૧૧ નવદંપતીઓ શાસ્ત્રોકત વિધીથી લગ્નજીવનમાં પદાર્પણ કરશે. આ સાથે દરેક કન્યાઓને કરિયાવરમાં ૧૦૧ થી વધુ ગૃહઉપયોગી વસ્તુઓ અર્પણ કરીને અંતરના ઉમળકાથી સાસરે વળાવશે. આ પ્રસંગે સવારે ૬ વાગ્યે વાજતે-ગાજતે દરેક જાનનું આગમન થશે અને સામૈયા કરવામાં આવશે. બાદમાં ૭ વાગ્યે વિધિ-વિધાન સાથે મંડપ રોપણ કરાશે. સવારે ૧૦ વાગ્યે વર-કન્યાના હસ્ત મેળાપ સહિત ચારણીયા સમાજની પરંપરાગત શાસ્ત્રોકત લગ્નવિધી સંપન્ન થશે. આ દરમિયાન બપોરે ૧૧-૦૦ વાગ્યાથી ૧-૩૦ વાગ્યા સુધી શુધ્ધ ઘીનાં લાપસી પ્રસાદ સહિતનો ભોજન સમારંભ પણ યોજાશે. જયારે બપોરે ૩ વાગ્યે સમસ્ત ચારણીયા સમાજની હાજરીમાં ભાવભેર દરેક જાનને વિદાય કરવામાં આવશે.
સમસ્ત ચારણીયા સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવના પાવન પ્રસંગે સવારના શુભ ચોઘડીએ પૂ. સામંતબાપુ (મોગલધામ–કબરાઉ), સામંતભાઈ ઘાંઘણીયા (ટ્રસ્ટી મોગલધામ-ભીમરાણા ઓખા), રામભાઈ કામળીયા (ટ્રસ્ટી મોગલધામ-ભગુડા), દેવાયત આતા કારંગીયા (મોગલધામ-ગેલાણા, કેશોદ), કમાભાઈ ખરા (મોગલધામ-વડપાંચસરા, હાલાર), દીલીપસિંહ પરમાર (મોગલધામ-રાણેસર, ભાયલા), હરેશભાઈ દાણા (મેલડી માં મંદિર-કીડીધામ) મહંત બંસીદાસ બાપુ (આપા જાલાની જગ્યા, મેસરીયા), સીતારામબાપુ (મોલડી, ચોટીલા) વગેરે ખાસ પધારીને આશીવર્ચન પાઠવશે.
સમસ્ત ચારણીયા સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવના પાવન પ્રસંગે સવારના શુભ ચોઘડીએ સામંતબાપુ (મોગલધામ–કબરાઉ), સામંતભાઈ ઘાંઘણીયા (ટ્રસ્ટી મોગલધામ-ભીમરાણા ઓખા), રામભાઈ કામળીયા (ટ્રસ્ટી મોગલધામ-ભગુડા), દેવાયત આતા કારંગીયા (મોગલધામ-ગેલાણા, કેશોદ), કમાભાઈ ખરા (મોગલધામ-વડપાંચસરા, હાલાર), દીલીપસિંહ પરમાર (મોગલધામ-રાણેસર, ભાયલા), હરેશભાઈ દાણા (મેલડી માં મંદિર-કીડીધામ) મહંત બંસીદાસ બાપુ (આપા જાલાની જગ્યા, મેસરીયા), સીતારામબાપુ (મોલડી, ચોટીલા) વગેરે ખાસ પધારીને આશીવર્ચન પાઠવશે.
કેશરીદેવસિંહજી ઝાલા (સાંસદ, રાજયસભા, વાંકાનેર સ્ટેટ), મુકેશકુમાર એન. પટેલ (એસ.પી.–મોરબી), પદ્મશ્રી શાહબુદીન રાઠોડ (હાસ્યકલાકાર, થાનગઢ), જીતુભાઈ સોમાણી (ધારાસભ્ય, ૬૭-વાંકાનેર-કુવાડવા મત વિસ્તાર), માયાભાઈ આહિર (લોકસાહિત્યકાર, મહુવા), નવધણભાઈ મુંધવા (પ્રમુખ નાગલધામ ગ્રુપ-નાના ચીલોડા), પાલુભા ગઢવી (ગેલવા) (ભજનાનંદી, ભચાઉ), વી.ડી. સાકરીયા (ડેપ્યુટી કલેકટર, વાંકાનેર), એ.એમ. છાસીયા (નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, મોરબી), કે.વી.સાનીયા (મામલતદાર, વાંકાનેર), બી.વી.પટેલ (પી.આઈ. વાંકાનેર), એલ.એ. ભર્ગા (તાલુકા પી.એસ.આઈ. વાંકાનેર), એન્જીનીયસ ગ્રુપ ઓફ કંપની (ઉદ્યોગપતિ, રંગપર), દેવાનંદભા ચારણ (માજી પ્રમુખ, અખીલ જનરલ ચારણ સમાજ, અમદાવાદ), ભરતભાઈ રાણાભાઈ મકવાણા (સરપંચ, રંગપર), ગોપાલભાઈ સામંતભાઈ ચૌહાણ (સરપંચ જાલીડા), રિધ્ધિબેન રામાવત (તલાટી-કમ-મંત્રી, જાલીડા/રંગપર) વિગેરેની ઉપસ્થિતિમાં ચારણીયા સમાજને ભવ્ય સમુહ લગ્નોત્સવ સંપન્ન થશે.
આઈધામ (મોગલ મંદિર) ના સાનિધ્યમાં સમસ્ત ચારણીયા સમાજન ભવ્ય સમુહ લગ્ન મહોત્સવ યોજાનાર છે, એવા પાવન પ્રસંગે આઈશ્રી મોગલ માતાજી મંદિરના આંગણે ચારણીયા સમાજના યુવાનો-વડિલો વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહિક સંકલ્પ લેશે. આ સાથે ચારણીયા સમાજમાં શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઈધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે. આ સમગ્ર સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનું સંકલન ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.નં.૯૬૦૧૪ ૨૪૮૪3, ૯૮૨૫૦ ૭૭૧૯૭, ૮૭૮૦૮ 3૧૫૮૯, ૯3૧૬૦ ૯૧૨૯3, ૮૧૬૦૬ ૦૨૭૭૨નો સંપર્ક કરવા ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.


