By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહિલા અનામત કાયદામાં સુધારો કરતા બિલ રજૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મહિલા અનામત કાયદામાં સુધારો કરતા બિલ રજૂ

Editor
Last updated: 2026/04/16 at 3:31 PM
2 days ago
Share
મહિલા અનામત કાયદામાં સુધારો કરતા બિલ રજૂ
SHARE

વિપક્ષોના વિરોધ વચ્ચે ત્રણ દિવસના ખાસ સત્ર સંસદમાં શરૂ

મહિલા અનામત કાયદામાં સુધારો કરતા બિલ રજૂ

 બિલોમાં ૨૦૨૯થી લોકસભા અને રાજય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ : પ્રથમ દિવસે જ ગૃહમાં હોબાળો

 સાંસદોની ૮૫૦ અને ચોક્કસ સંખ્યા નક્કી કરવા સીમાંકન, ૨૭3 બેઠકો મહિલા અનામત રહેશે

 ત્રણેય બિલો પર ૧૫ કલાક ચર્ચા અને આવતીકાલે સાંજે ૪ વાગે મતદાન

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આ બિલોમાં 2029થી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતનો પ્રસ્તાવ છે. આ હેતુ માટે ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં આજે પહેલો દિવસ છે.

સુધારા બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા 850 કરવાનો પ્રસ્તાવ છે. વર્તમાન સંખ્યા 543 છે. રાજ્યોમાં 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35 સુધી બેઠકો હશે. બેઠકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે સીમાંકન પણ કરવામાં આવશે. 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

16 અને 17 એપ્રિલના રોજ 15 કલાક સુધી બિલો પર ચર્ચા થશે. આવતીકાલે સાંજે 4 વાગ્યે મતદાન થશે. સુધારા બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે.

મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ બિલ પર લોકસભામાં ચર્ચા ચાલુ છે. વિપક્ષે આ બિલોનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકાર 90% વાતોનું પુનરાવર્તન જ કરી રહી છે. તેમણે સવાલ કર્યો કે સરકારે લોકસભામાં 850 બેઠકો હોય તે નિર્ણય કેવી રીતે લીધો.

અખિલેશ યાદવે કહ્યું, આખો દેશ અડધી વસ્તી માટે અનામત ઇચ્છે છે. હું જાણવા માંગુ છું કે મુસ્લિમ મહિલાઓ માટે શું છે.” અમિત શાહે જવાબ આપ્યો, “સમાજવાદી પાર્ટીએ બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપવી જોઈએ, અમને કોઈ વાંધો નથી.

કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ બિલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર બંધારણને હાઇજેક કરવા માંગે છે. આ પછી, સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે વિરોધ કર્યો અને કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને અનામત આપવામાં ન આવે ત્યાં સુધી તેનો કોઈ અર્થ નથી. અમિત શાહે જવાબ આપ્યો, ધર્મના આધારે મુસ્લિમો માટે અનામત ગેરબંધારણીય છે; તેનો સવાલ જ ઉભો થતો નથી. બિલ રજૂ કર્યાના પ્રથમ દિવસે જ ગૃહમાં ધમાસણ થયું હતું.

 

સંસદમાં રજૂ કરાયેલ ત્રણ બિલ

  1. બંધારણીય સુધારો બિલ 2026

લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામત લાગુ કરવા માટે એક નવું બંધારણીય સુધારો બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. લોકસભા તેની બેઠકો 543 થી વધારીને 850 (રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35) કરવા માટે તૈયાર છે. સરકાર કલમ ​​81 અને 82માં સુધારો કરવા માંગે છે.

પહેલાં, નિયમ એવો હતો કે સીમાંકન 2026 પછીની પહેલી વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે. હવે, સરકાર આ શરતને દૂર કરવા માંગે છે અને 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવાનો અધિકાર આપવા માંગે છે, જેથી કોઈ વિલંબ ન થાય અને 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં તેનો અમલ થઈ શકે.

  1. સીમાંકન બિલ શું છે?

સીમાંકન બિલ (2026) અનામત લાગુ કરવા માટેની પદ્ધતિઓ નક્કી કરશે. તે એક નવા સીમાંકન કમિશનની રચનાની જોગવાઈ કરે છે, જે બેઠકો માટે નવી સીમાઓ નક્કી કરશે. કમિશન નક્કી કરશે કે 850 બેઠકોમાંથી કઈ 273 (33%) બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જો કે, બેઠકો ફાળવવાનું ફોર્મ્યુલા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બિલ નક્કી કરશે કે દરેક ચૂંટણી પછી અનામત બેઠકો કેવી રીતે ફેરવવામાં આવશે જેથી દરેક પ્રદેશને ફાયદો થાય.

  1. કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2026

આ બિલ (સક્ષમ બિલ) દિલ્હી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓ માટે છે. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાઓમાં પણ 33% મહિલા અનામત લાગુ કરવામાં આવશે. દેશભરમાં અનામતનો સમાન અમલ સુનિશ્ચિત કરવા માટે આ ‘ઈનેબલિંગ બિલ’ જરૂરી છે.

 

સીમાંકનથી તમિલનાડુને ફાયદો થશે, બેઠકો વધશે : અન્નામલાઇ

તમિલનાડુમાં, ભાજપના નેતા કે. અન્નામલાઈએ કહ્યું, જ્યારે હું આજે સવારે તિરુચેન્દુર, મુદુકુલાથુર અને રામનાથપુરમમાંથી પસાર થયો ત્યારે મને ક્યાંય એક પણ કાળો ઝંડો દેખાયો નહીં. સ્ટાલિન એકમાત્ર એવા છે જે કાળો ઝંડો લહેરાવી રહ્યા છે. 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન લાગુ કરવામાં આવશે નહીં. સ્ટાલિન ફરી ફરીને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સીમાંકનથી તમિલનાડુના સાંસદોની સંખ્યા 39 થી વધારીને 59 થઈ શકે છે.

 

વિરોધ પક્ષ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે : તેજસ્વી સૂર્યા

ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ વિપક્ષ પર સીમાંકન અંગે દક્ષિણ ભારતમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, હું દક્ષિણથી, કર્ણાટકથી આવું છું. છેલ્લા ત્રણ દિવસમાં, અમે દક્ષિણ ભારતમાં વિપક્ષનો વ્યવસ્થિત અને ખોટી માહિતીનો પ્રચાર ખૂબ જ અસ્તવ્યસ્ત રીતે જોયો છે. સીમાંકન એ કોઈ બેકડોર પ્રક્રિયા નથી; અમે ફક્ત તે જ કરી રહ્યા છીએ જે બંધારણમાં સૂચવવામાં આવ્યું છે. સૂર્યાએ કહ્યું કે જો લોકસભા બેઠકો સ્થિર (ફ્રિજ) રાખવામાં આવે અને મહિલા અનામતને તે જ સ્વરૂપમાં લાગુ કરવામાં આવે તો કલમ 81ના એક વ્યક્તિ, એક મત, એક મૂલ્યના સિદ્ધાંતને નુકસાન થશે.

 

આ મહિલાઓ માટે એક ઐતિહાસિક બિલ છે : ગડકરી

મહિલા અનામત બિલ વિશે બોલતા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ મહિલાઓ માટે એક ઐતિહાસિક બિલ છે. મારું માનવું છે કે આ દેશના ઇતિહાસમાં એક ક્રાંતિકારી બિલ છે. લોકશાહીમાં મહિલાઓને સમાન તકો મળશે.

 

સીમાંકનથી વર્ગોને વિભાજીત કરવાનું કાવતરું : કોંગ્રેસ સાંસદ શુકલા

મહિલા અનામત બિલ અંગે, કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું, બધા વિપક્ષી પક્ષોએ સામૂહિક રીતે નિર્ણય લીધો છે કે તેઓ મહિલા અનામતને સમર્થન આપે છે, અને અમે મહિલાઓ માટે અનામત ઇચ્છીએ છીએ. અમે 2023માં પસાર થયેલા ઠરાવ સાથે ઉભા છીએ, પરંતુ સીમાંકન દ્વારા, તેઓ બધા વર્ગોને વિભાજીત કરવાનું અને બંધારણીય માળખાને નુકસાન પહોંચાડવાનું કાવતરું કરી રહ્યા છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ.

રાજ્યસભાએ ઉપાધ્યક્ષોંની પેનલનું પુનર્ગઠન કર્યું

રાજ્યસભાએ ગુરુવારે તેના ઉપાધ્યક્ષોંની પેનલનું પુનર્ગઠન કર્યું, જેમાં ભાજપ, કોંગ્રેસ, એઆઈએડીએમકે અને બીજેડીના 6 સભ્યોને 15 એપ્રિલથી અસરકારક રીતે નોમિનેટ કરવામાં આવ્યા. પુનર્ગઠિત પેનલમાં ભાજપ તરફથી દિનેશ શર્મા, એસ. ફાંગનોન કોન્યાક અને ઘનશ્યામ તિવારી; કોંગ્રેસ તરફથી ફુલો દેવી નેતામ; એઆઈએડીએમકે તરફથી એમ. થમ્બીદુરાઈ; અને બીજેડીના સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે.

બિલોને પુનઃસ્થાપિત કરવા 251 સાંસદોએ મતદાન કર્યું

બિલોને પુનઃસ્થાપિત કરવા માટે ધ્વનિ મત દ્વારા બિલોને પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારબાદ વિપક્ષે વિભાજનની માંગ કરી. ત્યારબાદ સ્પીકરે મતદાનની મંજૂરી આપી. પક્ષમાં 251 અને વિરોધમાં 185 મત પડ્યા.

હું બંધારણીય સુધારા બિલનો વિરોધ કરું છું : ઔવેસી

AIMIM સાંસદ ઓવૈસીએ કહ્યું, “હું બંધારણીય સુધારા બિલનો વિરોધ કરું છું. આ બિલ ફક્ત મહિલા અનામત વિશે નથી.

કેટલાક નિવેદનો લોકોમાં ચિંતા ઉભી કરી રહ્યા છે : અમિત શાહ

અમિત શાહે કહ્યું, “શ્રીમાન સ્પીકર, આખો દેશ ગૃહની કાર્યવાહી પર નજર રાખી રહ્યો છે. કેટલાક નિવેદનો એવા આપવામાં આવ્યા છે જેનાથી લોકોમાં ચિંતા થઈ રહી છે. અખિલેશ પૂછી રહ્યા છે કે વસ્તી ગણતરી કેમ નથી થઈ રહી. હું દેશને કહેવા માંગુ છું કે વસ્તી ગણતરી ચાલુ છે.”

તેમણે કહ્યું કે અમે જાતિગત વસ્તી ગણતરીની માંગ કરીશું. હું તમને કહેવા માંગુ છું કે સરકારે આ અંગે નિર્ણય લઈ લીધો છે. આ વસ્તી ગણતરી જાતિ સાથે કરવામાં આવી રહી છે. ધર્મેન્દ્રજી કહી રહ્યા છે કે કોઈ કોલમ નથી. તેમને ખબર હોવી જોઈએ કે હાલમાં, ઘરોની ગણતરી થઈ રહી છે, અને ઘરોમાં જાતિ નથી. જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવશે, ત્યારે જાતિની પણ ગણતરી કરવામાં આવશે. ધર્મના આધારે મુસ્લિમો માટે અનામત ગેરબંધારણીય છે. તેનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

કોંગ્રેસે 131મા બંધારણીય સુધારા બિલનો વિરોધ કરતી નોટિસ આપી

ગુરુવારે, કોંગ્રેસના સાંસદ હિબી ઈડને બંધારણ (એકસો એકત્રીસમો સુધારો) બિલ, 2026 રજૂ કરવાનો વિરોધ કરતી નોટિસ આપી. તેમણે આ બિલથી દક્ષિણના રાજ્યોને થનારા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. લોકસભાના મહાસચિવને સુપરત કરેલી પોતાની નોટિસમાં,ઈડને કહ્યું, “આ બિલ બંધારણ પર સીધો હુમલો છે. બંધારણના અનુચ્છેદ 82 અને 334A માં સુધારો કરીને, આ બિલ ઐતિહાસિક રીતે સીમાંકનને હાલની વસ્તી ગણતરી સાથે જોડતા બંધારણીય આધારને દૂર કરે છે. તેથી, આ બિલ મનસ્વી રીતે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવા અને સીમાઓ ફરીથી નક્કી કરવાનો પ્રયાસ કરે છે. આ ચોક્કસપણે કેરળ જેવા દક્ષિણ રાજ્યોને નુકસાન પહોંચાડશે અને સંઘીય સંતુલનને હિન્દી ભાષી રાજ્યોની તરફેણમાં ઝુકાવશે.”

You Might Also Like

રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા

 લખનઉના વિકાસનગરમાં ૨૫૦ ઝૂંપડામાં ભીષણ આગ

વિશ્વમાં રોજગારનું મોટું સંકટ: 80 કરોડ નોકરીઓ ઘટવાની વર્લ્ડ બેંકની ચેતવણી

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો
ગુજરાત

ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો

Editor By Editor 1 day ago
 પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી 
એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજ દ્વારા નેશનલ ગાર્ડી કોલોક્વિયમની ભવ્ય ઉજવણી
સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો
 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?