શિવશક્તિ ધૂન મંડળ ઉપક્રમે આયોજન
રાશનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ
જ્ઞાનયજ્ઞમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે : શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતા કથાનું રસપાન કરાવશે.
અગ્ર ગુજરાત, રાજકોટ
જીવનનગર વિકાસ સમિતિના સૌજન્યથી જીવનનગર શિવશક્તિ ધૂન મંડળ, કનૈયા ચોક, ગોપી મંડળના ઉપક્રમે જીવનનગર ચોકમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતા સંગીત સાથે કથાનું રસપાન કરાવશે. એપ્રિલ ૨૫ મી થી મે ૧ સુધી દરરોજ બપોરે ૩ કલાકથી કથાનું રસપાન સાથે ધાર્મિક પ્રસંગોની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.
ધાર્મિક ઉજવણીમાં પોથીયાત્રા તા. ૨૫ મી બપોરે સાડા ત્રણ કલાકે, ઉપરાંત દેહશુદ્ધિ, શિવ પૂજા, પિતૃ પૂજા, તા. ૨૬ મી એ શિવલીંગ પ્રાગ્ટય, તા. ૨૭ મી એ ઉમા પ્રાગ્ટય, તા. ૨૮ મી એ શિવવિવાહ, તા. ૨૯ મી એ ગણેશ ઉત્પત્તિ, તા. ૩૦ મી એ બાર જયોર્તિલીંગ, કથા વિરામ તા. ૧ મે ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવશે. આઠ બહેનોની કમિટીએ તડામાર તૈયારીનો પ્રારંભકરી દીધો છે.
શિવશકિત ધૂન મંડળના રેખાબેન વાઢેર, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચૌહાણ, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, પ્રવિણાબેન ગોંડલીયા, સ્મિતાબેન કાચા, દક્ષાબેન પાઠકના યજમાન પદે આયોજન હોય મંડપ, શણગાર, સુશોભન, પોથીયાત્રામાં જીવનનગર, જ્ઞાનજીવન, શિવપરા, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, આસપાસ રહીશોના ધર્મપ્રેમી જનત ભાગ લેવાના છે.
મહાદેવધામ મંદિરના સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, કિર્તીબેન કગથરા, નેહાબેન મહેતા, હર્ષાબેન દોમડીયા, ગીતાબેન મહેતા, જિગીષાબેન રાવલ, સપ્તાહમાં ભાગીદાર બનવાના છે. પ્રસંગ ઉજવણીમાં પૂજાબેન વાઢેર, વીણાબેન ચૌહાણ, મીતલબેન પાઠક, સોનલબેન મોડેસરા, આરતીબેન વાઢેર, ખ્યાતિબેન ચૌહાણ, યોગીતાબેન ગોહેલ, ચેતનાબેન મોડેસરા, હિનાબેન પંડયા સહિત ભાગ લેવાના છે.
સપ્તાહમાં મહાઆરતમાં સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, વોર્ડના પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભા.જ.૫. ના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, આગેવાનોને શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતા પૂજાવિધિ કરાવશે.


