વડીલોની કુનેહ અને મજબૂત નેતૃત્વથી રાજકોટમાં કમળ ખીલ્યુ : ઢોલરીયા-દવે
મતદારોનો આભાર માનતા શહેર ભાજપના હોદેદારો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે અને ફરી એકવાર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોર્પોરેશનમાં વધુ પાંચ વર્ષ માટે ભાજપનું શાસન સુનિશ્ચિત કરવામાં રાજકોટ મહાનગર સંગઠનના વિવિધ મહારથીઓનો સિંહ ફાળો રહ્યો છે, રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ આ અંગે જણાવ્યું છે કે, આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીના ઉમેદવારની જાહેરાત થતાં વિરોધ પક્ષ દ્વારા બહુ બધી અફવાઓ ફેલાવવામાં આવી હતી અને રાજકોટના મતદારોને ગેરમાર્ગે દોરવાનો સોશીયલ મીડીયાના માધ્યમથી ખુબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ મહાનગર એ ભારતીય જનતા પાર્ટીના આગવી કુનેહ અને સુઝબુઝ ધરાવતાં ઘણાં બધા અગ્રણી મહારથીઓ વાળું મહાનગર છે. જેમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેની સાથે રહી એક વડીલની ગરીમાને શોભે તેમ રાજકોટ લોકસભાના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, નીતીનભાઈ ભારદ્વાજ, સહિતના મહારથીઓ રાજકોટ મહાનગરની દરેક ચુંટણીમાં ખભે ખભા મીલાવી તેમને સોંપવામાં આવેલ તમામ જવાબદારીઓનું શહેર સંગઠન, ચુંટાયેલા પ્રતિનિધીઓ, વિવિધ મોરચા, વોર્ડની ટીમ સાથે સંકલન કરી નાનામાં નાની બાબત અંગે દરરોજ દિવસ રાત જોયા વગર માઈક્રોપ્લાનીંગ કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને રાજકોટ શહેરના છેવાડાના મતદારો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડેલ છે.
આ જીતના તમામ મહારથીઓએ ભારતીય જનતા પાર્ટીને વિચારધારાને વળગીને કોઈ એક ઉમેદવારથી કોઈ જ્ઞાતી જાતિ કે વોર્ડને મહત્વ આપ્યા વગર માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કમળને ઉમેદવાર તરીકે રાજકોટ શહેરના મતદારો સમક્ષ પ્રસ્તુત કરી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ શિર્ષ નેતૃત્વને ૬૫ કમળ રૂપી વિજય ઉમેદવારો સાદર ભેટ સ્વરૂપે અર્પણ કરેલ છે. તેમ હિતેશ ઢોલરીયા અને શૈલેષ દવેએ જણાવ્યું છે.


