રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ
બે સપ્તાહ દરમિયાન ૩૫૦૦ થી વધુ રાહદારીઓએ છાસ સેવાનો લાભ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
માનવ સેવા એ જ પ્રભુ સેવા ના સુત્રને સાર્થક કરતી સાર્વજનિક સેવા સમિતી દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તે હેતુથી છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ થયેલ છે. પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમની સામે, રૈયા રોડ ઉપર છેલ્લા બે સપ્તાહથી દર શની-રવિ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્ય દરમિયાન ૩૫૦૦ થી વધુ લોકોએ છાસ સેવાનો લાભ લીધો. ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા રાહદારીઓ ઠંડી છાસ પીને પ્રસન્નતા અનુભવી રહ્યા છે. આ છાસ સેવા યજ્ઞના આયોજક રાજુભાઈ જુંજાએ જણાવ્યુ હતુ કે તાપમાનનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે ત્યારે શરીરનુ તાપમાન પણ જળવાઈ રહે અને મનને ટાઢક મળે એ અમારી સેવા પાછળનો મુખ્ય હેતુ છે આ પ્રકારના સેવાકાર્યથી સમાજમાં સહકાર અને સહાનુભુતીનો સંદેશ ફેલાય છે અમારી સાર્વજનિક સેવા સમિતી આગળ પણ આવી માનવતા ભરી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહેશે એવી પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં આવી હતી.
આ સેવાકાર્ય પ્રસંગે જીલ્લા ભાજપ મિડીયાના અગ્રણી અરૂણભાઈ નિર્મળ, મેડિકલ કોલેજના ગ્રંથપાલ રાજુભાઈ ત્રીવેદી, વી.વી.પી. કોલેજના નીલદીપભાઈ ભટ્ટી, જીવદયા પ્રેમી પારસભાઈ મોદી, વિજયભાઈ રાઠોડ, ચેતનભાઈ મજીઠીયા, સંજયભાઈ દોશી, સમાજ સેવક શીવલાલભાઈ પાંભર, વગેરેએ ઉપસ્થિત રહી સેવાકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સેવાકાર્યને સફળ બનાવવા રાજુભાઈ જુંજા, જયેશભાઇ પટેલ, નવીનભાઈ ગોરડીયા, માવજીભાઈ મારૂ, એડવોકેટ મનીષભાઇ દવે, એડવોકેટ રાજનભાઈ જોબનપુત્રા, અલ્પેશભાઈ ડાંગરીયા, હાર્દિકભાઈ જોશી, કરણભાઈ જુંજા, નરશીભાઈ, મનહરભાઈ સિંહોરા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.


