દુષિત પાણીની ફરિયાદો વધતા મનપામાં દોડધામ, ૨૯૫3 કલોરીન ટેસ્ટ કરાયા
તાવ, શરદી, ઝાડા, ઉલ્ટી સહિતના ૧૫૬૪ દર્દીઓ સારવારમાં : મચ્છરની ઉત્પતિના જવાબદાર ૧૮૯ આસામીઓની નોટીસ ફટકારાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના વિવિધ વિસ્તારમાં દુષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદમાં સતત વધારો થઇ રહ્યો છે અને પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. મનપા દ્વારા કલોરીન ટેસ્ટમાં વધારો કર્યા છે. છેલ્લા એક અઠવાડીયામાં ૨૯૫3 જેટલા કલોરીન ટેસ્ટ કરાયા હતા. ઉપરાંત ડેંગ્યુ-ટાઇફોડના ૧-૧, કમળાના ૨, શરદી-ઉધરસના ૫૦૬, સામાન્ય તાવના ૭૨૭ અને ઝાડા ઉલ્ટીના 3૨૭ સહિત ૧૫૬૪ જેટલા દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૮/૦૫/૨૦૨૬ થી તા.૨૪/૦૫/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૮૨૬૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૭૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૨૧ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૪૬ અને કોર્મશીયલ ૪૩ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૨૯૫૩ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.


