ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સતત ૫૪મા વર્ષે નિ:શુલ્ક છાશવિતરણ.
તા.૨૬ માર્ચથી શરુ થયેલ છાશ વિતરણ હજુ એક માસ ચાલશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા છેલ્લા ૬૧ વર્ષોથી બાળ સંસ્કાર કેન્દ્ર,ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, સાર્વજનિક વાચનાલય, રાહત દરે નોટબુક વિતરણ,નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ,જ્ઞાનયજ્ઞ,બાળમજુરી નાબુદી, વ્યસનમુક્તિ વગેરે સેવાપ્રવૃત્તિઓનું સંચાલન થાયછે.
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઈ.સ.૧૯૭૩માં નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રનો પ્રારંભ થયો હતો. છેલ્લા ૫૪ વર્ષોથી આ સંસ્થા દ્વારા ઉનાળામાં અઢી માસ સુધી છાશકેન્દ્રનું સંચાલન થાય છે.જેમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે પ્રતિદિન ૨૦૦ જેટલા પરિવારોને (આશરે ૧૦૦૦વ્યક્તિઓને) પરિવાર દીઠ સવા લીટર તાજી અને પૌષ્ટિક છાશનું નિ:શુલ્ક વિતરણ થાયછે આ વર્ષે છાશ કેન્દ્રના ૫૪ મા વર્ષનો રામનવમીએ શુભારંભ થયોછે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાજી અને અમૃતરૂપી છાશ લોકોના કાળજે ટાઢક પહોંચાડે તેવા ઉમદા હેતુથી ઈ.સ.૧૯૭૩થી શરુ થયેલો આ સેવાયજ્ઞ છેલ્લા ૫ વર્ષોથી સતત દર વર્ષે અવિરતપણે ચાલી રહ્યો છે. છેલ્લા ૫૪ વર્ષોથી દર વર્ષે નિ:શુલ્ક છાશવિતરણ થતું હોય તેવા સૌરાષ્ટ્રના આ સેવાયજ્ઞને પૂ. હરિચરણદાસજી મહારાજના શુભાશિષ મળેલછે. માનવસેવાની આ ઉમદા પ્રવૃત્તિ માટે આર્થિક સહયોગ આવકાર્ય છે.આ સંસ્થાને મળતું દાન આવકવેરાની કલમ ૮૦-G હેઠળ કરમુક્તછે.સર્વે દાતાઓ,શ્રેષ્ઠીઓ,ભાવિકોને આ માનવસેવાયજ્ઞમાં યથાશક્તિ સહકાર આપવા સંસ્થાએ હાર્દિક અનુરોધ કરેલછે.જેને માટે જંકશન પ્લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં રૂબરૂ અથવા મોબાઈલ નં.૯૮૯૮૩૧૮૨૮૬ પર સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.


