By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન

Editor
Last updated: 2026/06/06 at 4:02 PM
7 hours ago
Share
વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન
SHARE

વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન

વૃક્ષારોપણ, પુરસ્કાર વિતરણ, ચિત્રકલા પ્રદર્શન અને જન-જાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પર્યાવરણ પ્હરિઓનું સન્માન

 

અગ્ર ગુજરાત,રાજકોટ

વિશ્વ પર્યાવરણ દિવસ-2026 અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 15 મેથી 05 જૂન, 2026 સુધી ચલાવવામાં આવેલા વિશેષ પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું સમાપન આજે આરડીએસએ (RDSA) ક્રિકેટ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજિત ભવ્ય વૃક્ષારોપણ અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે થયું હતું.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક (Sr. DCM) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માત્ર કોઈ એક દિવસ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે આહ્વાન કર્યું હતું.

ત્યારબાદ, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક ઈજનેર (Sr. DME) મેઘરાજ તાતેડે ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા આ વિશેષ અભિયાન દરમિયાન આયોજિત વિવિધ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણ અભિયાનોની સિદ્ધિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

ત્યારપછી વરિષ્ઠ ડિવિઝન કાર્મિક અધિકારી (Sr. DPO) અમૃત સોલંકી દ્વારા આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustained Development) ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા રેલવે કર્મચારીઓ, સહભાગીઓ અને સામાજિક સંસ્થાઓને પ્રશસ્તિ-પત્ર તથા સ્મૃતિ-ચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ‘સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ને રાજકોટ ડિવિઝનના વૃક્ષારોપણ અભિયાનોમાં નિરંતર સહયોગ, છોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમર્પિત યોગદાન બદલ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સ્થળ પર આયોજિત ચિત્રકલા પ્રદર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. પ્રદર્શનમાં સહભાગીઓ દ્વારા પર્યાવરણ અને જળ સંરક્ષણ, વૃક્ષારોપણ તેમજ સ્વચ્છ પૃથ્વી જેવા વિષયો પર તૈયાર કરાયેલી સર્જનાત્મક કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે જ આયોજિત હસ્તાક્ષર અભિયાનમાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત તમામ લોકોએ ઓછામાં ઓછા 100-100 છોડ વાવવાનો અને તેમનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.

સમારોહ દરમિયાન આરડીએસએ (RDSA) ક્રિકેટ ગ્રાઉન્ડ પરિસરમાં 25થી વધુ છોડ રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ સમગ્ર અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં 80થી વધુ સ્થળોએ વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ કોચિંગ એન્ડ વેગન ડેપો દ્વારા પ્લેટફોર્મ ઓફિસમાં બાયો-ટોયલેટની યોગ્ય જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ વિષય પર આધારિત એક જાગૃતિ શોર્ટ ફિલ્મ (લઘુ ચલચિત્ર) પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. તેના માધ્યમથી બાયો-ટોયલેટનો સાચો ઉપયોગ, જાળવણી તેમજ તેને ચોક (અવરુદ્ધ) થતા અટકાવવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝન ના અપર મંડળ રેલ પ્રબંધક (ADRM) શ્રી બ્રિજેશ કુમાર સિંહ, ડિવિઝનના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. તમામ લોકોએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને હરિત વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આ આયોજન પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જન-જાગૃતિ વધારવા, હરિયાળા વાતાવરણના નિર્માણ અને ભાવી પેઢીઓ માટે સ્વચ્છ તથા સુરક્ષિત પર્યાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ સાબિત થયું.

You Might Also Like

સોમવારથી વેકેશન પૂર્ણ, સ્ટેશનરી ખરીદવા દુકાનોમાં ભીડ

રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ

અમીન માર્ગ પર મનપાએ ખોદેલા ખાડામાં તેનો ટ્રક જ ખાબકયો

શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ચિત્રકાર વલ્લભભાઈનુ નામ આતરરાષ્ટીય ફલક પર ઝળહળ્યું
રાજકોટ

રાજકોટના ચિત્રકાર વલ્લભભાઈનુ નામ આતરરાષ્ટીય ફલક પર ઝળહળ્યું

Editor By Editor 1 day ago
અભિલાષ ઘોડા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ 5 જૂને થશે ભવ્ય રિલીઝ
૫ જુન  રાષ્ટ્રદ્રષ્ટા ગુરુજીની પુણ્યતિથિ
વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા અમદાવાદના દંપતિએ ૧૫ લોકો સાથે કરી ૨૦ કરોડની ઠગાઈ
બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?