ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી
સેક્રેટરી તરીકે ડૉ. કિશોર દેવલીયા અને ચેરપર્સન ડૉ. નરેન્દ્ર વીસાણીની નિયુકિત
૧૪૦૦ ડૉક્ટરોના સકારાત્મક સંગઠનની શક્તિ ધરાવતા ફેડરેશનને વધુ સબળ-કાર્યશીલ બનાવવાની નેમ
અગ્ર ગુજરાત, રાજકોટ
ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર્સ રાજકોટના- ૨૦૨૬-૨૦૨૭ ના નવા હોદેદારોને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવેલ જેમાં ફેડરેશન પ્રમુખ પદે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ.વી વેકરીયા-સેક્રેટરી-ડૉ. કિશોર દેવલીયા- ચેરપર્સન-ડૉ. નરેન્દ્ર વીસાણી-વાઇસ પ્રેસીડન્ટ-ડૉ. મહેશ શિંગાળા સેકેન્ડ વાઇસ પ્રેસીડન્ટ- કોર્પોરેટર ડૉ. શૈલેષ વસાણી ટ્રેઝટર ડૉ. સમીર ખૂંટ સહિતના સર્વે હોદેદારોની સર્વાનુમતે વરણી થયેલ છે.
આયુષ ડૉકટરોની વિવિધ પ્રકારના રોગો માટેની નવી આધુનિક પદ્ધતિઓ દ્વારા નિદાન તેમજ તેની સારવાર માટે ફેડરેશન દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી દર વર્ષે ગ્રાન્ડ C. M. E. ના પ્રોગ્રામ કરવામાં આવે છે. ફેડરેશન ઑફ આયુષ ડૉકટર રાજકોટના અલગ અલગ ઝોન વાઇઝ (વિસ્તાર) પ્રમાણે નવ એસોસિએશનથી બનેલ છે. જેમાં ૧૪૦૦ જેટલા ડૉકટરો મેમ્બરની સ્ટ્રેન્થ ધરાવે છે, આ ફેડરેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા ૧૫ વર્ષથી અવિરત કાર્યરત છે. તેમજ આ ફેડરેશનમાં હોદેદારોની વરણી માટે ઇલેકશન કદી થતું નથી માત્ર સિલેકશન દ્વારા હોદેદારોની વરણી થાય છે. ડૉ. વેકરીયાની પ્રમુખ પદે આ બીજી વાર વરણી થઈ રહી છે.
તબીબો માટે તબીબો કાયમી તંદુરસ્ત રહે તે માટે અન્ય પ્રવૃતિઓ જેવી કે ક્રિકેટ મેચ, ઇનડોર ગેમ, વોકાથોન મેરેથોનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સાથે ફેટરેશનના અન્ય હોદેદારો જોઇન્ટ સેક્રેટરી ડૉ. દેવેશ દોશી સેકન્ડ જોઇન્ટ સેક્રેટરી ડૉ. ભાવેશ પરમાર અને કારોબારી કમિટિમાં ડૉ. અરવિંદ ભટ્ટ, ડૉ. જયેશ રાજયગુરૂ, ડૉ. વિશાલ ભીમજીયાણી, ડૉ. દિલીપ મારકણા, ડૉ. હેમાંશુ પરમાર, ડૉ. દેવધર રામોલીયા ની વરણી કરવામાં આવેલ છે. ફેડરેશનનો મુખ્ય હેતુ ‘સર્વે ભવન્તુ સુખીનઃ અને સર્વ સંતુ નિરામયા જે આપણા વેદ પુરાણમાં પણ દર્શાવેલ છે.


