ડો.શ્યામા પ્રસાદ મુખરજી એટલે સંકલ્પ, સંઘર્ષ અને બલિદાનની અવિસ્મરણીય ગાથા : ઉદય કાનગડ
આજે ડો.શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિતે ધારાસભ્ય ઉદય કાનગડે યોગદાનને યાદ કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભકત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો આજે તા.૨૩- જૂનના રોજ બલિદાન દિવસ છે ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને શત શત નમન કરી શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભકત હતા.ત્યારે તા.૨૩ જૂન આપણા માટે પ્રેરણાદાયક દિવસ છે. ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી નો બલિદાનનો દિવસ છે. દેશની એકતા અને અખંડિતતા બધાથી પર છે અને સમાજના વિવિધ તબકકાઓ વચ્ચે અલગ-અલગ માપદંડ અપનાવવામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી માનતા ન હતા. ડો. શ્યામાપ્રસાદ મુખરજી તેના વચન પર હંમેશા અડગ રહ્યા કે, જમ્મુ–કાશ્મીર ભારતન એક અવિભાજય અંગ છે, તેમણે સિંહગર્જના કરતાં કહયું હતું કે ‘ એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહી ચાલે– નહી ચાલે’. ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક અચ્છા શિક્ષણશાસ્ત્રી, ઉતમ વહીવટકર્તા, ઉતમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરીયન, આમૂલ દેશભકિતનું પ્રતિક હતા. ભારતીય જનસંઘના આ સ્થાપક અઘ્યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતી જન્માવી હતી. તેમણે કોઈ મુદ્દે ક્યારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા. સતાનો મોહ એમને ક્યારેય ડગાવી ન શકયો.સ્વતંત્રતા પહેલા અને ત્યારબાદ પણ તેમણે દેશના રાજકીય જીવનમાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું હતું. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે તેમણે દેશના ઔદ્યોગિક વિકાસનો મજબૂત પાયો નાંખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી પરંતુ જયારે તેમને લાગ્યું કે કેટલીક નીતિઓ દેશના લાંબા ગાળાના હિતમાં નથી, ત્યારે તેમણે સતા કરતાં સિધ્ધાંતોન વધુ મહત્વ આપીને મંત્રીપદનો ત્યાગ કર્યો. આ તેમના નિર્ભય અને સિધ્ધાંતનિષ્ઠ વ્યકિતત્વનું ઉતમ ઉદાહરણ છે.
શત શત નમન કરતાં અંતમાં ઉદય કાનગડએ ભારત ભૂમિના મહાન પુત્ર એવા ડો.શ્યામાપ્રસાદ મુખરજી કે જેણે કાશ્મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી અભિવ્યકિત કરતાં તેમને શબ્દાંજલી અર્પણ કરી હતી.


