By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૧૨૧ પ્રોજેક્ટની મંજૂરી, કરોડોની ગ્રાન્ટ અને પછી EDનો ધડાકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

૧૨૧ પ્રોજેક્ટની મંજૂરી, કરોડોની ગ્રાન્ટ અને પછી EDનો ધડાકો

Editor
Last updated: 2026/08/18 at 4:11 PM
21 minutes ago
Share
૧૨૧ પ્રોજેક્ટની મંજૂરી, કરોડોની ગ્રાન્ટ અને પછી EDનો ધડાકો
SHARE

નકલી કચેરીને સરકારી તંત્રે આપ્યો અસલી દરજ્જો!

૧૨૧ પ્રોજેક્ટની મંજૂરી, કરોડોની ગ્રાન્ટ અને પછી EDનો ધડાકો

દાહોદમાં સિંચાઈ વિભાગની છ નકલી કચેરીઓ ઊભી કરી સરકારી તિજોરીને ચોપડયો ચૂનો : EDએ અબુબકર સૈયદ સહિતના આરોપીઓની ૨૨.૭૦ કરોડની મિલકતો જપ્ત કરી

અગ્ર ગુજરાત, દાહોદ

સરકારી કચેરી એટલે પ્રજા માટે સેવા અને વિકાસનું કેન્દ્ર, પરંતુ દાહોદમાં તો સરકારી તંત્રની જ નકલ ઊભી કરી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ હડપવાનો ખેલ ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. દાહોદમાં સિંચાઈ અને જળ સંસાધન વિભાગની એક-બે નહીં પરંતુ છ નકલી સરકારી કચેરીઓ ઊભી કરી સરકારી ભંડોળની ઉચાપત કરવામાં આવી હોવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે.
EDએ મુખ્ય આરોપી અબુબકર ઝાકીરઅલી સૈયદ, તેના પરિવારજનો અને સાથીદારો સાથે સંકળાયેલી કુલ રૂ.૨૨.૭૦ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે. જપ્ત મિલકતોમાં સાત જમીનના ટુકડા, મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ તથા વિવિધ બેંક ખાતામાં રહેલી રકમનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું હોવાનું EDએ જણાવ્યું છે કે આરોપીઓએ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરી બનાવટી સીલ અને સહીઓનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટની મંજૂરી મેળવવાનો ખેલ રચાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં ૧૨૧ નકલી પ્રોજેક્ટ મારફતે સરકારી ભંડોળ મેળવવામાં આવ્યું હોવાનો આરોપ છે.
આરોપીઓએ કથિત રીતે સરકારી તંત્રની કામગીરી જેવી જ વ્યવસ્થા ઊભી કરી હતી. નકલી કચેરીઓના નામે બેંક ખાતાં ખોલવામાં આવ્યા અને સરકારી વિભાગોમાંથી મળેલી રકમ સૌપ્રથમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી. ત્યારબાદ નાણાંને અલગ-અલગ મધ્યસ્થી ખાતાઓ મારફતે અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા ખાતાઓમાં ફેરવવામાં આવ્યા. EDની તપાસ મુજબ, નકલી સરકારી કચેરીઓના નામે ખોલવામાં આવેલા નવ બેંક ખાતાઓમાં સરકારી નાણાં જમા કરાયા હતા. ત્યારબાદ આ રકમ ૧૮ મધ્યસ્થી ખાતાઓમાં ટ્રાન્સફર થઈ અને ત્યાંથી આરોપીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ તથા સંસ્થાઓના ૧૧૮ અન્ય ખાતાઓમાં નાણાં પહોંચાડવામાં આવ્યા હતા.
સરકારી નાણાંની આ હેરફેર બાદ રકમનો ઉપયોગ મિલકતો ખરીદવા ઉપરાંત શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે કરવામાં આવ્યો હોવાનો EDનો દાવો છે. આમ, સરકારી ગ્રાન્ટના નામે મેળવાયેલા નાણાંને વિવિધ નાણાકીય વ્યવહારો મારફતે ખસેડી સંપત્તિ ઉભી કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
દાહોદના આ કથિત નકલી કચેરી કૌભાંડમાં સરકારી વિભાગની ઓળખ, અધિકારીઓની સહી-સીલ અને દસ્તાવેજોની નકલ કરીને જો ખરેખર કરોડોનું સરકારી ભંડોળ મેળવાયું હોય તો તે માત્ર નાણાકીય ગેરરીતિ નહીં પરંતુ સમગ્ર વહીવટી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઊભો કરે છે. હવે EDની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી બાદ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને સરકારી નાણાંની અંતિમ મંઝિલ ક્યાં હતી તે અંગેની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.

સરકારી કચેરી જ નકલી તો ચેક કોણે કર્યા?

દાહોદમાં સિંચાઈ વિભાગની છ નકલી કચેરીઓ ચાલતી રહી અને ૧૨૧ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાનો આરોપ છે. સવાલ એ છે કે કચેરીનું સરનામું, અધિકારી, સહી, સીલ અને દસ્તાવેજોની ખરાઈ કરવાની જવાબદારી કોની હતી? જો નકલી કચેરી સરકારી તંત્રની નજરે ન પડી હોય તો વહીવટી ચકાસણી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

૧૨૧ પ્રોજેક્ટ…પણ સરકારી તંત્રને ખબર જ નહીં

૧૨૧ જેટલી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ મારફતે સરકારી ભંડોળ મેળવાયું હોવાનો EDનો દાવો છે. આટલા પ્રોજેક્ટના કાગળો તૈયાર થયા, મંજૂરીની પ્રક્રિયા થઈ અને નાણાં પણ છૂટ્યા—પણ નકલી કચેરીઓનો પર્દાફાશ કેમ ન થયો? કાગળ પરની સરકારી વ્યવસ્થા કેટલી સજાગ છે તે હવે તપાસનો વિષય બન્યો છે.

નવ ખાતાંથી ૧૧૮ ખાતાં સુધી નાણાંનો ખેલ

સરકારી નાણાં પહેલાં નકલી કચેરીઓના નામે ખોલાયેલા નવ ખાતામાં, ત્યારબાદ ૧૮ મધ્યસ્થી ખાતામાં અને અંતે ૧૧૮ અન્ય ખાતામાં પહોંચાડાયા હોવાનો EDનો ખુલાસો છે. આટલી લાંબી મની ટ્રેલ છતાં તંત્રની નજર મોડે પડી હોય તો નાણાકીય મોનિટરિંગ સિસ્ટમની કાર્યક્ષમતા પર સવાલ ઊઠે તે સ્વાભાવિક છે.

સીલ નકલી, સહી નકલી…પણ સરકારી પૈસા અસલી

આ કૌભાંડનો સૌથી ચોંકાવનારો પાસો એ છે કે આરોપીઓએ સરકારી અધિકારીઓનો ઢોંગ કરી બનાવટી સીલ, સહીઓ અને દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનો આરોપ છે. અહીં વ્યંગ એ છે કે કાગળો નકલી હોવાના આરોપ વચ્ચે સરકારી તિજોરીમાંથી બહાર નીકળેલા રૂપિયા તો એકદમ અસલી હતા.

તંત્ર જાગ્યું ત્યારે રૂ.૨૨.૭૦ કરોડની મિલકત ઉભી

EDએ રૂ.૨૨.૭૦ કરોડની સ્થાવર-જંગમ સંપત્તિ જપ્ત કરી છે. જમીન, બેંકમાં રકમ અને મ્યુચ્યુઅલ ફંડ સુધી નાણાં પહોંચ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે સવાલ એટલો જ—જો તપાસ અગાઉ જ સક્રિય થઈ હોત તો સરકારી નાણાંની આટલી મોટી રકમ સંપત્તિમાં ફેરવાઈ શકી હોત?

કચેરી છ નકલી, પણ સરકારી સિસ્ટમ કેટલી અસલી?

એકાદ બનાવટી દસ્તાવેજ કે ખોટી સહી પકડાય તો તેને વ્યક્તિગત છેતરપિંડી કહી શકાય. પરંતુ છ નકલી સરકારી કચેરીઓ, ૧૨૧ પ્રોજેક્ટ અને કરોડોની રકમની હેરફેરના આરોપો સામે આવ્યા હોય ત્યારે આખી મંજૂરી અને ચકાસણી પ્રક્રિયાની જવાબદારી પણ તપાસવી જરૂરી બને છે. માત્ર આરોપીઓને પકડી લેવાથી નહીં, કૌભાંડ શક્ય બનાવતી તંત્રની ખામીઓ સામે પણ કાર્યવાહી થશે ત્યારે જ પ્રજાનો વિશ્વાસ પાછો આવશે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને તમામ શાખાઓમાં ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન યોજાશે
રાજકોટ

રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને તમામ શાખાઓમાં ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન યોજાશે

Editor By Editor 5 days ago
રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ અને વિવિધ શાખાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે ગરિમાપૂર્ણ ધ્વજવંદન
રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર
રાજકોટ જિલ્લામાં લેવાયેલા 3૧ ફૂડના સેમ્પલ ફેઇલ, ૮ વેપારીઓના પરવાના રદ
ધોરાજીની ૧૦૫ વર્ષ જૂની ‘મદ્રેસા-એ-મીસકીનીયાહ’ સંસ્થામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?