- એર કેનેડા પર ભારતીય મૂળની મહિલાએ લગાવ્યા આરોપો
- પિતાના મૃત્યુ માટે બેદરકારીનો લગાવ્યો આરોપ
- ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન થયું હતું મોત
ભારતીય મૂળની કેનેડિયન મહિલાએ એર કેનેડા પર તેના પિતાના મૃત્યુ માટે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. સોમવારે એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાએ કહ્યું હતું કે એર કેનેડાની બેદરકારીને કારણે દિલ્હીથી મોન્ટ્રીયલ જતી ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન તેના 83 વર્ષીય પિતાનું મોત થઈ ગયું હતું.
હકીકતમાં આ સમગ્ર મામલો ગયા સપ્ટેમ્બરમાં બન્યો હતો જ્યારે ઓન્ટારિયોની રહેવાસી શાનુ પાંડે તેના પિતા હરીશ પંત સાથે એર કેનેડાની ફ્લાઈટમાં દિલ્હીથી કેનેડા જવા રવાના થઈ હતી. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનએ અહેવાલ આપ્યો હતો કે 7 કલાક બાદ જ્યારે પ્લેન યુરોપ પર હતું ત્યારે પંતને છાતીમાં દુખાવો, પીઠમાં દુખાવો, ઉલટી અને ઊભા રહેવામાં અસમર્થતાનો અનુભવ થવા લાગ્યો હતો.
કેબિન ક્રૂએ વિનંતીની અવગણના કરી
પિતાની તબિયત બગડતી જોઈને સાનુએ કેબિન ક્રૂને તાત્કાલિક સારવાર માટે પ્લેન ડાયવર્ટ કરવા અને લેન્ડ કરવા વિનંતી કરી હતી. પરંતુ તેની વિનંતી કાને પડી અને નવ કલાક પછી પ્લેન મોન્ટ્રીયલમાં ઉતર્યું ત્યાં સુધીમાં તેના પિતા મૃત્યુ પામ્યા હતા.
એરલાઇન્સના કર્મચારીઓને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યા
અહેવાલ અનુસાર, મારી નજર સામે તેમની (પિતાની) હાલત બગડી રહી છે. પરંતુ એર કેનેડાએ તેમની બગડતી તબિયતને ગંભીરતાથી લીધી ન હતી. પાંડેએ કહ્યું હતું કે તેના પિતા પાઈલટ અને એર કેનેડાના કર્મચારીઓ પર નિર્ભર હતા. પરંતુ તેમના તરફથી મદદ મળી શકી નથી. તેમનો આરોપ છે કે તેઓ અમાનવીય અને સંવેદનહીન છે.
એર કેનેડાએ નકારી કાઢ્યું
પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે તે વર્ષોથી આ સફરની રાહ જોઈ રહી હતી. હકીકતમાં તે તેના પિતાને કેનેડામાં કાયમી નિવાસનો દરજ્જો અપાવીને ભારતથી કેનેડા લઈ જતી હતી. આ દરમિયાન એર કેનેડાએ પેસેન્જરના મૃત્યુ માટે તે જવાબદાર હોવાના કોઈપણ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. અહેવાલમાં એરલાઇનના પ્રવક્તા પીટર ફિટ્ઝપેટ્રિકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ક્રૂએ બોર્ડમાં તબીબી કટોકટીનો સામનો કરવા માટેની પ્રક્રિયાઓને યોગ્ય રીતે અનુસરી હતી. જોકે, જ્યારે તબીબી કટોકટીનો સામનો કરવાની પ્રક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ટિપ્પણી કરી ન હતી.


