- સઈદ અનવરની ઓડિયો ક્લિપ વાયરલ
- પીએમ મોદી-સચિન તેંડુલકર વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- સંદેશ ન્યુઝ વાયરલ ક્લિપની પુષ્ટિ કરતું નથી
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સઈદ અનવરની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ઘણો જૂનો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સઈદ અનવરનો અવાજ છે. જો કે સંદેશ ન્યુઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સઈદ અનવરની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ઘણો જૂનો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સઈદ અનવરનો અવાજ છે. જેમાં સઈદ અનવર કહી રહ્યા છે કે તે અલ્લાહને પ્રાર્થના કરશે કે પીએમ નરેન્દ્ર મોદી અને સચિન તેંડુલકર ઈસ્લામ કબૂલ કરી લે. સઈદ અનવર પહેલા પાકિસ્તાની ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકે પણ હરભજન સિંહ વિશે આવો જ દાવો કર્યો હતો. તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ઈન્ઝમામ ઉલ હક છે અને તે દાવો કરી રહ્યો હતો કે ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી હરભજનસિંહે તેને ઈસ્લામ ધર્મ અપનાવવામાં રૂચિ દેખાડી હતી.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવરનો ઓડિયો
આ વાયરલ ઓડિયોમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સઈદ અનવરે બિન-મુસ્લિમ લોકોને ઈસ્લામ અંગીકાર કરવાનું આહ્વાન કર્યું છે. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ સામેલ છે. વાયરલ થઈ રહેલા સઈદ અનવરના ઓડિયોમાં અનવર બિન-મુસ્લિમો માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યો છે અને આશા છે કે અલ્લાહ તેમને ઈસ્લામ અપનાવવા માર્ગદર્શન આપે. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે. વધુમાં કહ્યું કે હું સચિન તેંડુલકર અને બ્રાયન લારા સહિત મારા ઓળખતા તમામ બિન-મુસ્લિમ લોકોને પ્રાર્થના કરું છું કે તેઓ ઇસ્લામ અંગીકાર કરે. સઈદે કહ્યું કે આ આત્માઓએ ઈસ્લામ અંગીકાર કરવો જોઈએ. સઈદ અનવરની આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે સંદેશ ન્યુઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
ઈન્ઝમામ ઉલ હકે સનસનીખેજ દાવો કર્યો છે
સઈદ અનવર પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ PCB સિલેક્ટર ઈન્ઝમાન-ઉલ-હકે પણ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ લગભગ ઈસ્લામ ધર્મ અપનાવવા તૈયાર છે. આ ચોંકાવનારા દાવા પછી હરભજને ઈંઝમામને આડે હાથ લેતા કહ્યું કે મને ખબર નથી કે આ લોકો કયા નશામાં આવા નિવેદનો કરે છે. ઈન્ઝમામ બાદ હવે સઈદ અનવરની ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સઈદ અનવરની એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ઘણો જૂનો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં સઈદ અનવરનો અવાજ છે. જેમાં સઈદ અનવર કહી રહ્યા છે કે પ્રાર્થના કરો કે પીએમ નરેન્દ્ર મોદી અને સચિન તેંડુલકર ઈસ્લામ કબૂલ કરે. સઈદ અનવર પહેલા પાકિસ્તાની ક્રિકેટર ઈન્ઝમામ ઉકે હકે પણ હરભજન સિંહ વિશે આવો જ દાવો કર્યો હતો.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવરનો ઓડિયો
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સઈદ અનવરે બિન-મુસ્લિમ લોકોને ઈસ્લામ અંગીકાર કરવાનું આહ્વાન કર્યું છે. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ સામેલ છે. વાયરલ થઈ રહેલા સઈદ અનવરના ઓડિયોમાં અનવર બિન-મુસ્લિમો માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યો છે અને આશા છે કે અલ્લાહ તેમને ઈસ્લામ અપનાવવા માર્ગદર્શન આપે. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે. વધુમાં કહ્યું કે હું સચિન તેંડુલકર અને બ્રાયન લારા સહિત મારા ઓળખતા તમામ બિન-મુસ્લિમ લોકોને પ્રાર્થના કરું છું કે તેઓ ઇસ્લામ અંગીકાર કરે. સઈદે કહ્યું કે આ આત્માઓએ ઈસ્લામ અંગીકાર કરવો જોઈએ. સઈદ અનવરની આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઈન્ઝમામ ઉલ હકે સનસનીખેજ દાવો કર્યો છે
સઈદ અનવર પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ PCB સિલેક્ટર ઈન્ઝમાન-ઉલ-હકે પણ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ લગભગ ઈસ્લામ ધર્મ અપનાવવા તૈયાર છે. આ ચોંકાવનારા દાવા પછી હરભજને ઈન્ઝમામને આડે હાથ લેતા કહ્યું કે મને ખબર નથી કે આ લોકો કયા નશામાં આવા નિવેદનો કરે છે. ઈન્ઝમામ બાદ હવે સઈદ અનવરની ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે.


