By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    16 minutes ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    1 hour ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કાનાબાર પરિવારની પુત્રીના લગ્નમાં 70 મનોદિવ્યાંગોને VIP આમંત્રણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

કાનાબાર પરિવારની પુત્રીના લગ્નમાં 70 મનોદિવ્યાંગોને VIP આમંત્રણ

agragujaratnews
Last updated: 2023/11/22 at 6:07 PM
2 years ago
Share
કાનાબાર પરિવારની પુત્રીના લગ્નમાં 70 મનોદિવ્યાંગોને VIP આમંત્રણ
SHARE

હિમાક્ષી કાનાબારે પોતાના લગ્નમાં 70 જેટલા મનોદિવ્યાંગને તેમના જ નામથી ખાસ આમંત્રણ પત્રિકા મોકલી સમાજને પ્રેરણા આપી : લગ્ન પ્રસંગે દાંડિયારાસમાં પરિવારજનો અને મહેમાનો આ દિવ્યાંગ બાળકો સાથે ગરબા લેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ
સામાન્ય રીતે લગ્ન એ પરિવાર માટે ખુશીનો અવસર હોય છે. આ પ્રસંગ યાદગાર બને તે માટે પરિવારજનો અનેક પ્રયત્નો કરતા હોય છે. અત્યારે લગ્નમાં વીઆઈપી ને ખાસ બોલાવીને પ્રસંગને યાદગાર બનાવવાનો ટ્રેન્ડ છે ત્યારે રાજકોટમાં કાનાબાર પરિવારની પુત્રીએ પોતાના લગ્નમાં વીઆઈપી મહેમાન તરીકે 70 જેટલા મનોદિવ્યાંગ બાળકોને તેમના નામ સાથે આમંત્રણ કાર્ડ આપીને લગ્ન માટે આમંત્રિત કર્યા છે. આપ્યું છે અત્યારની નવી પેઢી જુદા જુદા જુદી થીમ અને કંઈક નવું કરવા માટે પ્રયત્ન કરતી હોય છે ત્યારે કાનાબાર પરિવારની દીકરી હિમાક્ષી કાનાબારે એક નવો માર્ગ નવી પેઢીને બતાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા આપી છે. આ વાત છે રાજકોટમાં સ્નેહ નીર્ઝર મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર સાથે સંકળાયેલા હિતેશભાઈ કાનાબાર અને ધર્મિષ્ઠાબેન કાનાબારની પુત્રી હિમાક્ષી કાનાબારની.

સામાન્ય રીતે દિવ્યાંગ બાળકોને સમાજમાં અલગ નજરથી જોવાય છે. કોઈ સ્નેહનો સંબંધ તેની સાથે બંધાવવાનો નથી અને સમાજમાં આગવું સ્થાન પણ તેઓ મેળવી શકવાના નથી ત્યારે તેમના નામે કોઈ પોસ્ટ ટપાલ કે કંકોત્રી આવે તેવી પણ શક્યતા નથી ત્યારે કાનાબાર પરિવારના હિતેશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે ,”દીકરીના લગ્ન પ્રસંગે તા.26ના રોજ ગોકુલ પાર્ટી લોન્સ ખાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે દરેક દિવ્યાંગ બાળકને તેના નામથી જ તેના પરિવારજનને કંકોત્રી મોકલવામાં આવી છે અને તેને સ્પેશિયલ ફિલ કરાવવા માટે તેમની આગતા સ્વાગતતા પણ એ જ રીતે કરાવવામાં આવશે. સમાજમાં તેમને એક સ્થાન મળે અને સમાજની તેમને જોવાની દ્રષ્ટિ બદલાય તે હેતુસર દીકરીએ આ પ્રેરણા સફર પગલું ભર્યું છે જેને સમગ્ર કાનાબાર પરિવાર એ આવકાર્યું છે”. મનો દિવ્યાંગ બાળકની સ્થિતિ કેવી હોય અને તેના પરિવારજનો શું અનુભવતા હોય તે હિતેશભાઈ ખૂબ સારી રીતે જાણે છે કારણ કે તેમના નાનાભાઈ રાજેશભાઈ કાનાબાર દિવ્યાંગ છે અને પોતે તેમજ પોતાનો સમગ્ર પરિવાર ભાઈની કાળજી રાખી રહ્યો છે. તેમના પિતા સ્વ.નાનાલાલ કાના બારે આ સંસ્થાનો પ્રારંભ પુત્ર માટે થઈને જ કર્યો હતો જેમાં આજે 70 જેટલા મનો દિવ્યાંગ બાળકો પ્રવૃત્તિ કરી પોતાના જીવનને એક નવી દિશા આપી રહ્યા છે. આ પ્રેરણાત્મક અને સમાજને દિશા ચિંધનાર નિર્ણય બાબત હિતેષભાઈએ જણાવ્યું હતું કે, સમાજમાં જે મનોદિવ્યાંગ બાળકો છે એ ઈશ્વરના દેવદૂત છે પરંતુ ક્યારેક સમાજ દ્વારા તેઓની અવગણના કરવામાં આવે છે અને ક્યારેક તેને બિચારા અને લાચાર ગણવામાં આવે છે. સમાજની આ દ્રષ્ટિ બદલવા પ્રયાસરૂપે દીકરી હેમાક્ષી અને જયના લગ્ન પ્રસંગમાં 70 મનો દિવ્યાંગ ને ખાસ મહેમાન બનાવી તેમના નામ સાથે આમંત્રણ મોકલવામાં આવ્યું છે દીકરીએ જાતે જ જઈને દરેકને પોતાના હાથે આમંત્રણ આપ્યું ત્યારે તે લોકોને ખુશીનો પાર નહોતો. કંકોત્રીમાં પરિવારના મનોદિવ્યંગ વડીલ ભાઈ રાજેશભાઈ કાનાબાર નો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમના માતા પિતા પણ લાગણીશીલ બન્યા હતા કારણ કે અત્યાર સુધી એ સંતાનોને કોઈએ મહત્વ આપ્યું નથી કે તેમના નામે કોઈ આમંત્રણ મળ્યું નથી તેથી માતા-પિતાની આંખોમાં હર્ષાશ્રુ આવ્યા હતા. આ એ મનો દિવ્યાંગ લોકો છે કે જેને ક્યારેય પોતાના કુટુંબનો માળો બનવાનો નથી આવા સમયે તેમને પોતાના પરિવારજનની જેમ આમંત્રણ આપવાથી તેઓ અત્યંત ખુશ થયા હતા.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક
Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?