- રાજદીપસિંહ વાળા ભરત નકુમની ફેક્ટરીમાં કામ કરતો
- યોગેશ સિંધી ભરત નકુમ પાસેથી સિરપનો જથ્થો મંગાવતો
- ખેડાના ડભાણ પાસે ફેક્ટરીમાં બનાવતા સિરપ
ખેડાના નડિયાદમાં સિરપકાંડ મામલે મોટો ઘસ્ફોટ સામે આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા પકડાયેલ આરોપી રાજદીપસિંહ વાળા પહેલા ચાંગોદર સ્થિત ભરત નકુમની ફેક્ટરીમાં કામ કરતો હતો. જ્યારે ભરત નકુમ દ્વારા ચાંગોદરમાં ડુપ્લીકેટ સિરપ બનાવવાની ફેકટરી નાખવામાં આવી હતી.
એટલું જ નહીં આ ફેકટરીમાં મેનેજર તરીકે રાજદીપસિંહ વાળા નોકરી કરતો હતો. જ્યારે ભરત નકુમની ફેક્ટરી માંથી નડિયાદનો સિરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ સિંધી સિરપનો જથ્થો મંગાવતો હતો. તેમજ યોગશ સીંધી ભરત નકુમ પાસેથી સિરપ મંગાવતો હોય રાજદીપ સિંહ સાથે સંપર્કમાં હતો.
રાજદીપસિંહ ભરત નકુમને ત્યાંથી છૂટો થઈને યોગેશ સિંધીનો સંપર્ક કર્યો. જેમાં યોગેશ સિંધી અને રાજદીપસિંહ વાળાએ મળીને સિરપ બનવાની ફેકટરી નાખવાનું નક્કી કર્યું. રાજદીપ સિરપ બનવાની ફોર્મ્યુલા અને પેકેજીંગ માટેની મશીનરીના જાણકાર હતો. એરેજોન નામનું કેમિકલ મુંબઈથી તોફીક પાસેથી લાવતો હોવાની વિગત પણ સામે આવી છે.
યોગેશ સિંધીએ પોતાની ફેકટરી સ્થાપી અને રાજદીપસિંહ સમગ્ર સંચાલન કરતો. જે આરોપીને સિરપકાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં પોલીસ દ્વારા રાજદીપ સિંહ સહિત 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
નોંધનીય છે કે, રાજકોટના જેતપુર તાલુકાના મેવસા ગામનો રાજદીપસિંહ વાળા રહેવાસી છે. પોલીસ દ્વારા રાજદીપસિંહ વાળાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. તેમજ રિમાન્ડ મળ્યા બાદ પૂછપરછ માં મોટા ઘસ્ફોટક થઈ શકે છે. હાલમાં આ સમગ્ર મામલે SIT તપાસ કરી રહી છે.


