- પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આર્મી બેઝ પર આતંકી હુમલો
- આતંકી હુમલાનો પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન તરફ આંગળી ચીંધી
- આતંકવાદી હુમલામાં લગભગ 23 જવાનો શહીદ થયાની પ્રાથમિક વિગત
પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આર્મી બેઝ પર થયેલા આતંકી હુમલામાં 23 જવાનોના મોત થયા બાદ પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન પર દોષનો ટોપલો ન ઢોળ્યો છે. પાકિસ્તાને કહ્યુ છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને આતંકીઓ પાકિસ્તાન પર હુમલા કરી રહ્યા છે ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ આતંકીઓ સામે કાર્યવાહી કરવાની જરૂર છે.
આતંકવાદી હુમલામાં 23 જવાનો શહીદ
ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું. ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં લગભગ 23 જવાનો શહીદ થયા હતા. તહરીક-એ-જેહાદ પાકિસ્તાને હુમલાની જવાબદારી લીધી હતી. પાકિસ્તાનના વિદેશ સચિવે અફઘાનિસ્તાન સરકારને કહ્યું હતું કે આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ સજ્જાદ કાઝીએ આ હુમલાનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પાડોશી દેશે હુમલાના કાવતરાખોરો અને અફઘાનિસ્તાનમાં TTP નેતૃત્વની ધરપકડ કરીને તેમને પાકિસ્તાન સરકારને સોંપવા જોઈએ. પરંતુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
અફઘાન સરકારે શું કહ્યું?
અફઘાન સરકારે ડેરા ઈસ્માઈલ ખાનમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરવાનું વચન આપ્યું હતું પરંતુ એમ પણ કહ્યું હતું કે દરેક મુદ્દા માટે કાબુલને દોષી ઠેરવવો જોઈએ નહીં. મીડિયા સાથે વાત કરતા અફઘાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે કાબુલ હુમલાની તપાસ કરશે, પાકિસ્તાનમાં થયેલા હુમલાથી અમે ચોંકી ગયા છીએ. અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પર ધ્યાન આપીશું. જો કે મુજાહિદે એમ પણ કહ્યું હતું કે દરેક મુદ્દા માટે અફઘાનિસ્તાનને દોષી ઠેરવવું જોઈએ નહીં અને પાકિસ્તાને પોતાની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. તેણે વધુમાં કહ્યું કે ડીઆઈ ખાન અફઘાનિસ્તાનથી સેંકડો કિલોમીટર દૂર છે અને તે પાકિસ્તાનની પોતાની જમીન છે. પાકિસ્તાન પાસે મજબૂત સુરક્ષા દળો છે અને હુમલાને નિષ્ફળ બનાવવો જોઈતો હતો. કાબુલે કોઈને પણ પોતાની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ વિરુદ્ધ કરવાની મંજૂરી આપી નથી. મુજાહિદે કહ્યું કે અમને કોઈ માહિતી મળશે તો અમે તપાસ કરીશું.
શું છે પાકિસ્તાનની માંગ?
પાકિસ્તાન લાંબા સમયથી આગ્રહ કરી રહ્યું છે કે પ્રતિબંધિત TTP અફઘાનિસ્તાનની ધરતી પરથી કામ કરે છે પરંતુ અફઘાન સરકારે દર વખતે આ આરોપને નકારી કાઢ્યો છે. આ હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ TJPએ બે મિનિટનો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં આતંકવાદીઓ થર્મલ સ્કોપ્સ સાથે સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવતા દર્શાવાયા હતા. જોકે, સુરક્ષા અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ વીડિયો અધિકૃત નથી. પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ સજ્જાદ કાઝીએ પણ હુમલાની તપાસ માટે ઈસ્લામાબાદમાં અફઘાન રાજદ્વારી સરદાર અહેમદ શાકિબને બોલાવ્યા હતા.
હુમલા પર પાકિસ્તાન સરકારે શું કહ્યું?
ડેરા ઈસ્લામ ખાન પર હુમલા બાદ પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકરે કહ્યું હતું કે આતંકવાદીઓ એક યુદ્ધ લડી રહ્યા છે જે જીતી ચૂક્યા છે. તેણે કહ્યું કે મારે હુમલાખોરોને કહેવું જોઈએ કે તમે આ યુદ્ધ હારી ગયા છો. પાકિસ્તાને આ યુદ્ધ જીત્યું છે. મંગળવારના હુમલામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા બાદ તેમણે મીડિયાને કહ્યું કે અમે પીછેહઠ નહીં કરીએ અને આતંકવાદીઓને શરણે નહીં જઈએ.


