વર્લ્ડ ચેસ ઓલમ્પીયાડ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કૃતિ રજુ કરી છે
રાજકોટના કલાગુરુ મીરા નિગમ પાસે 14 વર્ષથી નૃત્યની સાધના કરી રહ્યા છે પાયલ દોશી
ભરતનાટ્યમ એ નાટ્ય શાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્ય કલાની એક અભિજાત અને સૌથી પ્રાચીન શૈલી છે.
ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરત નાટ્યમનું સ્થાન મોખરે છે.નૃત્યમાં સમર્પણ અને સાધના દ્વારા ઉચ્ચ કોટી સુધી પહોંચી શકાય છે.અનેક વર્ષોની આવી સાધના અને તાલીમ બાદ ગુરુ અને સમાજ સમક્ષ કલા રજૂ કરવાનો મોકો મળે છે તે છે આરંગેત્રમ.તે ફક્ત નૃત્યની પ્રસ્તુતિ નથી પરંતુ ઈશ્વરની આરાધના છે.ગુરુના આશીર્વાદથી આવી આરાધના પૂર્ણ કરી સહુ પ્રથમ મંચ પર પ્રસ્તુત કરશે રાજકોટના દીકરી પાયલ દોશી.
તા.17 ડીસેમ્બર રવિવારના રોજ સાંજે 6:15 સવાણી પર્ફોમીંગ સેન્ટર ફોર આર્ટસ રાજકોટ ખાતે ગુરુજનો અને શહેરના અગ્રણીઓ તથા પરિવારજનોની હાજરીમાં આરંગેત્રમ યોજાશે.
ગુજરાતના ખાદી ક્ષેત્રના ગણમાન્ય તજજ્ઞ, ખાદી ગ્રામોધોગ સંઘ-સમન્વય, રાજકોટ સંસ્થાના ટ્રસ્ટી કમ મંત્રી તેમજ ગુજરાતની તથા રાજકોટની અનેક અગ્રગણ્ય સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપનાર અજય ભાઈ દોશી અને રિતિબેન દોશીની પુત્રી છે પાયલ.કહેવાય છેને કે પુત્રના લક્ષણ પારણાંમાંથી એ જ રીતે જન્મ થયો ત્યારે આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજીએ ભવિષ્ય જાણી પાયલ નામ આપ્યું.નામ પ્રમાણે જ તેને બાળપણથી જ નૃત્યમાં રસ પડવા લાગ્યો. પાંચ વર્ષની નાની ઉંમરમાં જ કલા ગુરૂ મીરા નિગમ, પાસેથી નૃત્યના સ્ટેપ શીખવા લાગી.પાયલ છેલ્લા 14 વર્ષથી સ્તુતિ ઇન્સ્ટિટ્યૂટ પર્ફોમીંગ આર્ટસમાં મીરાબેન નિગમ પાસે ભરતનાટ્યમ્ નૃત્યની સાધના કરી રહી છે.નર્સરીથી ધો.10 સુધી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ તેમજ ધો.11 અને 12 એસ. એન. કે. સ્કૂલમાં અભ્યાસ કરનાર પાયલ હાલ દેશની અવ્વલ દરજ્જાની પ્રતિષ્ઠિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (G.N.L.U.) ગાંધીનગરમાં L.L.B. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.તેના કાયદાના આંટી ઘૂંટીના અભ્યાસ સાથે ઘૂંઘરું ના નાદ અને નૃત્યની આરાધના એક સાથે ચાલે છે.
તેણીએ ગત વર્ષે વર્લ્ડ ચેસ ઓલમ્પીયાડ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તેના ગૃપ સાથે ભરતનાટ્યમ્ કૃતિ રજુ કરેલ તેમજ સૂર્ય મંદિર-મોઢેરામાં વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભરતનાટ્યમ્ નૃત્ય કૃતિ રજુ કરેલ તદ્ઉપરાંત G-20-સમિટ, તામિલ-ગુજરાત સંગમમ્ સોમનાથ મંદિર પ્રભાસ પાટણમાં ભરતનાટયમ્ કૃતિ ગૃપ સાથે રજુ કરેલ છે.14 વર્ષની સાધના બાદ દરેક કલાકે જેની આતુરતા પૂર્વક રાહ જુવે છે તે આરંગેત્રમ યોજાશે.પાયલ દોશીને કલાગુરુ મીરાબેન નિગમ કઠિન તૈયારી કરવી રહ્યા છે.કાર્યક્રમમાં પાયલ દોશી પુષ્પાંજલી જતિસ્વરમ, વર્ણમ કીર્તનમ, પદમ તિલ્લાના અને મંગલમ રજૂ કરશે. આર.નટરાજન મૃદગમ, સોમિયા નેંડેગડી ગાયન, વાયોલિન પર રાકેશ મહેશ્વરી તેમજ ફ્લ્યુટ પર આલાપ પરીખ સાથ આપશે.