- ઈઝરાયેલે ગાઝાનો નાશ કરવાની લીધી પતિજ્ઞા
- અમે આ વિચારને બિલકુલ સમર્થન નથી:મેક્રોન
- આતંકવાદ સામેની લડાઈમાં નાગરિકો નિશાન બન્યા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, ગાઝા પટ્ટી પર હજુ પણ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે હમાસે હજુ સુધી ઈઝરાયેલના બંધકોને મુક્ત કર્યા નથી ત્યારે ઈઝરાયેલી સેનાએ પણ ગાઝામાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી છે. આ દરમિયાન ઘણા દેશોએ ઈઝરાયેલને ગાઝા પટ્ટીમાં થયેલા મોતને લઈને સાવચેતી રાખવાની અપીલ કરી છે. હવે આ દેશોમાં ફ્રાન્સનું પણ એક નામ જોડાયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે આતંકવાદ સામે ઈઝરાયેલની લડાઈનો કોઈ અર્થ એવો ન હોઈ શકે કે તે ગાઝાનો નાશ કરે.
ઈમેન્યુઅલ મેક્રોને શું કહ્યું?
મેક્રોને કહ્યું હતું કે, ‘અમે આ વિચારને બિલકુલ સમર્થન નથી આપતા કે આતંકવાદ વિરૂદ્ધ અસરકારક રીત એ ગાઝાનો નાશ કરે અને નાગરીકોને નિશાન બનાવે. તેમણે આવી પ્રતિક્રિયાને અયોગ્ય ગણાવી અને યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. મેક્રોને કહ્યું હતું કે તમામ જીવન સમાન છે અને આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ.
મેક્રોને ઈઝરાયેલના પોતાનો બચાવ અને આતંકવાદ સામે લડવાના અધિકારનો પણ બચાવ કર્યો હતો. જો કે, તેમણે સલાહ આપી કે આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકોની સુરક્ષા હોવી જોઈએ અને આ માટે માનવતાના ધોરણે યુદ્ધવિરામ લાગુ કરવો જોઈએ.
નોંધનીય છે કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં લગભગ 1150 ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. આ સમયગાળાદરમિયાન હમાસના આતંકવાદીઓએ 250થી વધુ ઇઝરાયેલ અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા હતા. તે જ સમયે, જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ગાઝા પટ્ટી પર હુમલા ચાલુ રાખ્યા છે. આમાં 20,000થી વધુ લોકોના જીવ ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.


