By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    4 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    4 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    4 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન શ્રીકૃષ્ણના હૈયાનો હાર ભકત નરસૈયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન શ્રીકૃષ્ણના હૈયાનો હાર ભકત નરસૈયો

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:04 AM
2 years ago
Share
ભગવાન શ્રીકૃષ્ણના હૈયાનો હાર ભકત નરસૈયો
SHARE

  • દામોદરરાયજીને પહેરાવેલો હાર ભગવાન તમને કેદખાનામાં આવીને પહેરાવે તો જ તમે ભગત સાચા

ભક્ત શિરોમણી નરસૈયાનું સ્થાન શ્રીહરિના હ્રદયમાં છે. ભક્ત નરસૈયો એટલે દાસત્વ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. નરસૈયાને વેદ, પુરાણ, શાસ્ત્રનું કોઈ જ જ્ઞાન નહોતું. તેઓ કર્મકાંડની વિધિ પણ નહોતા જાણતા. છતાં પણ તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે જે પરમગતિની પ્રાપ્તિ કરી તે અદ્વિતીય હતી. જપ, તપ અને સાધના વગર માત્ર હૃદયની તન્મયતાથી તેમણે શ્રીહરિના હૃદયમાં સ્થાન મેળવ્યું. નરસૈયાએ તેમની સહજ અને સરળ ભક્તિથી સાબિત કરી દીધું કે જ્યારે ભગવાનની ભક્તિમાં મન એટલું ઓતપ્રોત થઈ જાય કે મશાલ સાથે આખેઆખો હાથ બળી જાય ત્યાં સુધી પ્રભુ પ્રત્યેની દીવાનગી ન છૂટે. એ જ ભક્તિ અને દીવાનગી પ્રભુની સમીપ લઈ જાય છે. ભક્ત નરસૈયાને શ્રીહરિ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ હતો. તેઓ સાંસારિક દરેક ચિંતા શ્રીહરિનાં ચરણોમાં ધરીને ચિંતામુક્ત થઈ જતાં અને શ્રીહરિ પણ ભોળા ભક્તની લાજ રાખવા ક્યારેક કુંવરબાઈનું મામેરું ભરીને, તો ક્યારેક હૂંડી સ્વીકારીને લાજ રાખતા.

સામાન્ય જનમાનસમાં ભક્ત નરસૈયાનું સ્થાન અવિચળ છે. આવા કૃષ્ણસખાના જીવનમાં આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં `હારમાળાનો પ્રસંગ’ માગશર માસમાં બન્યો હતો અને આ હારમાળાની અગ્નિપરીક્ષામાંથી ભક્ત નરસૈયાને શ્રીહરિએ પાર ઉતારેલા.

હારમાળા પ્રસંગની ટૂંકમાં છણાવટ કરતાં ભક્ત નરસૈયો અન્યનાં દુઃખે દુઃખી થનારામાંનો એક હતો અને તેથી જ બીજાને માટે તેમણે શામળશા શેઠ પાસે પોતાનો કેદાર રાગ (તંબૂર) ગીરવે મૂક્યો હતો અને જ્યાં સુધી નરસૈયો શામળશા શેઠને નાણાં ન ચૂકવે ત્યાં સુધી પોતે `કેદાર રાગ’માં એકેય ભજન નહીં ગાય એવું ‘સોગંદનામું’ લખી આપેલું. દરમિયાન કેટલાક વિઘ્નસંતોષીઓએ એ વખતના રાજા રા’માંડલિકને એવી કાન ભંભેરણી કરી કે ભગત નરસૈયો અયોગ્ય લોકો સાથે બેસીને ભોજન લે છે અને તેમની વચ્ચે બેસીને ભજન ગાય છે. આ વૈષ્ણવ ધર્મની વિરુદ્ધ છે. તેનો કોઈ શેઠ દ્વારકામાં ન હોવા છતાં પણ ખોટેખોટી હૂંડી લખે છે અને યાત્રાળુઓને છેતરે છે. આથી નરસૈયાની કસોટી કરવા રા’માંડલિકે તેમને કેદખાનામાં નાખ્યા અને શરત મૂકી કે સવાર સુધીમાં જો દામોદરરાયજીને પહેરાવેલો હાર ભગવાન તમને કેદખાનામાં આવીને પહેરાવે તો જ તમે ભગત સાચા. અન્યથા તમને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે. આથી ભક્ત નરસૈયો મૂંઝાયો. જો પોતે કેદાર રાગ ગાય તો જ ભગવાન તેમને હાર પહેરાવે અને જો પોતે કેદાર રાગ ગાય તો પોતાના સોગંદનામાનો ભંગ થાય, પરંતુ શ્રીહરિ ભક્ત નરસૈયાની વહારે આવ્યા.

કહેવાય છે કે સ્વયં દામોદરરાયે ભક્ત નરસૈયાનું રૂપ ધારણ કરીને અડધી રાત્રે શામળશા શેઠની ડેલી ખખડાવી અને તેમને નાણાં આપી ગીરવે રાખેલો કેદાર રાગ છોડાવી લાવ્યા અને તેમનું સોગંદનામું કેદખાનામાં નરસૈયા પાસે આવીને પડયું. બાદમાં ભક્ત નરસૈયાએ `પત રાખો પત રાખો’ ભજન કેદાર રાગમાં ગાઈ ભગવાન દામોદરરાયને પ્રસન્ન કર્યા અને ભગવાને તેમને હાર પહેરાવ્યો. રાજા રા’માંડલિકે ભક્ત નરસૈયાની માફી માગી અને માનભેર કેદખાનામાંથી મુક્ત કર્યો. રાજા રા’માંડલિકે કહ્યું, `હે, ભક્તરાજ આપની ભક્તિને હું ઓળખી ન શક્યો. આપ તો જૂનાગઢ નગરીનું ગૌરવ છો.’ જૂનાગઢના નગરજનોની હાજરીમાં વાજતેગાજતે હર્ષોલ્લાસ સાથે ભક્ત નરસૈયાનો વરઘોડો કાઢીને સન્માન આપ્યું. બસ, ત્યારથી જ પરંપરાગત રીતે માગસર માસમાં ભક્ત નરસૈયાની હારમાળાનો પ્રસંગની ઊજવણી નાગરજ્ઞાતિ વર્ષોથી કરે છે. નરસૈયાની જીવન ઝાંખીના કાર્યક્રમોનું પણ સુંદર આયોજન થાય છે. આમ, નરસૈયાની ભક્તિએ બસ, એક જ સંદેશ આપ્યો કે જો, પ્રભુ પ્રત્યે અતૂટ આસ્થા હોય તો ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં આવીને આપનાં કામ પાર પાડે છે. `અખિલ બ્રહમાંડમાં એક તું શ્રીહરિ…’ આટલી સરળ શૈલીમાં પણ ગૂઢ આધ્યાત્મિક ફિલસૂફી રચીને તેમણે ગુજરાતી સાહિત્યને ભક્તિરસથી તરબોળ કરી દીધું છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
હેલ્થ

Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત

By 2 days ago
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?