શિયાળાની ઋતુમાં શરીરમાં થતા દુખાવા તેમ જ શરદી તાવ ઉધરસ વગેરેમાં ફાયદાકારક છે રાઈના તેલનો ઉપયોગ.
શિયાળાની ઋતુ આમ તો સ્વાસ્થ્ય માટે લાભદાય છે પરંતુ વર્તમાન સમયમાં ઘરે ઘરે શરદી અને વાયરલ તાવ તેમજ સાંધાના દુખાવાની સમસ્યા છે આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે અમુક નાના નાના ઉપાય અજમાવશો તો ડોક્ટરની મુલાકાત લેવી નહીં પડે આ બાબત આયુર્વેદિક ડોક્ટર હિમા મહેતાએ જણાવ્યું હતું કે આ ઋતુમાં રાઈના તેલનો ઉપયોગ ખૂબ જ લાભદાયી છે શરીર ઉપર બહારથી લગાવવા તેમજ તેનું સેવન પણ દરેક રીતે ફાયદાકારક છે.રાઈનાં તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ,વિટામિન, મિનરલ્સ જેવાં પોષક તત્વ હોય છે. જે આપણાં શરીરમાં થતાં સામાન્ય રોગ અને કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. શિયાળાની ઋતુમાં શરીરમાં દુખાવા થતા હોય છે તેમ જ શરદી તાવ ઉધરસ વગેરેની સમસ્યા પણ હોય છે તેમાં રાયના તેલનો ઉપયોગ ફાયદાકારક છે.
- શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યા સામાન્ય ગણવામાં આવે છે. એ સમયે રાઈના તેલથી માલિશ કરવાથી, છાતીમાં જામ થયેલ કફથી રાહત મળે છે. નાક બંધ હોય તો ગરમ પાણીમાં રાઈનું તેલ ઉમેરી તેની વરાળ લેવાથી રાહત મળે છે.
- શિયાળાની ઋતુમાં ઘણી વાર આપણાં હાથ-પગમાં સોજો આવી જતો હોય છે. આ સ્થિતિમાં રાઈના તેલનાં ઉપયોગથી સોજાનું પ્રમાણ ઘટાળી શકાય છે. શરીરનાં જે ભાગ પર સોજો હોય તે જગ્યાએ માલિશ કરવી જોઈએ.
- ઘી અને તેલ જેવાં પ્રદાર્થ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. રાઈ તેલનાં સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. તેની અંદર રહેલાં ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે.
- અમુક વખતે લોકોનું શરીર જકડાઈ જતું હોય છે. તો ક્યારેક સાંધાનો દુ:ખાવો વધી જાય છે. દુ:ખાવાથી રાહત મેળવવાં માટે રાઈનાં તેલથી શરીરને માલિશ કરવું જોઈએ. હુંફાળા રાઈના તેલથી માલિશ કરવાનાં લીધે રક્ત સ્ત્રાવ સારો બને છે. જેનાં લીધે તમારાં સાંધાનાં દુ:ખાવાની સમસ્યા દૂર થાય છે.