- અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- ભારત અને પાકિસ્તાન વચ્ચે 30 જાન્યુઆરીએ મુકાબલો
- 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અંડર-19 વર્લ્ડ કપ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની વાત કરીએ તો બંને દેશો વચ્ચેના તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો અટકેલા છે. જ્યારે બંને ટીમો માત્ર ICC ઈવેન્ટ્સમાં જ ટકરાશે. દરેકની નજર જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 પર છે. આ ટુર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ ક્રિકેટના મેદાન પર બંને ટીમો સામસામે આવી શકે છે.
જૂનમાં T20 વર્લ્ડ કપ દરમિયાન સિનિયર ટીમો સામસામે આવી શકે છે. જ્યારે 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની જુનિયર ટીમો પણ સામસામે આવી શકે છે. જો કે અંડર-19 વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગ્રુપ A અને Dમાં છે. આમાં 16 ટીમો ભાગ લઈ રહી છે અને દરેક ચાર ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ પછી નોકઆઉટના પ્રથમ તબક્કામાં ગ્રુપ Aની ટીમો D ટીમો સામે ટકરાશે અને ગ્રુપ Bની ટીમો પણ ગ્રુપ Cની ટીમો સામે ટકરાશે.
કેવી રીતે થઈ શકે ભારત-પાકિસ્તાન સંઘર્ષ?
ભારતીય ટીમ ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને યુએસએ સાથે છે. જ્યારે ગ્રુપ ડીમાં પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને નેપાળની ટીમો હાજર છે. નોકઆઉટમાં A3 (ગ્રુપ A ની તૃતીય ક્રમાંકિત ટીમ) અને D1 (ગ્રુપ Dની પ્રથમ ક્રમાંકિત ટીમ), A1 અને D2, A4 અને D4, A2 અને D3, A1 અને D3, A2 અને D1 અને A3 અને D2 એકબીજાનો સામનો કરવો પડશે. જો ભારત ગ્રુપ Aમાં નંબર 1 પર રહે છે અને પાકિસ્તાન ગ્રુપ Dમાં નંબર 2 પર રહે છે તો 30 જાન્યુઆરીએ મોટો મુકાબલો થઈ શકે છે. જ્યારે ભારત બીજા અને પાકિસ્તાન પહેલા ક્રમે હોય તો 3જી ફેબ્રુઆરીએ બીજી વખત ટકકર થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2024માં થશે ટક્કર!
ન્યૂયોર્કમાં T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. એક અહેલાવ મુજબ, બંને ટીમો 8-9 જૂને ટકરાશે. જોકે, ICC દ્વારા હજુ સુધી સત્તાવાર શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. અહીં પણ બંને ટીમો લીગ તબક્કામાં ટકરાશે. ઉપરાંત, T20 ટીમોના વર્લ્ડ કપમાં નોકઆઉટ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચ પણ થઈ શકે છે. અત્યારે ચાહકો નક્કી તારીખોની રાહ જોઈ રહ્યા છે કે બંને ટીમો ક્યારે અને ક્યાં ટકરાશે.


