- પટનામાં ઈન્ડિગો ફ્લાઈટ 6e 2074નું ઈમરજન્સી લેન્ડિંગ
- ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
- ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી
બિહારની રાજધાની પટનામાં ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ 6e 2074નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનને તરત જ પટના એરપોર્ટ રનવે પર મૂકવામાં આવ્યું છે. વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.
ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
મળતી માહિતી મુજબ દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું . આજ રોજ બપોરે ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 2074માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ફ્લાઈટમાં 187 મુસાફરો હતા. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. અચાનક ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર સાંભળીને મુસાફરોના શ્વાસ થોડા સમય માટે અટકી ગયા હતા. તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે, પાયલટની સમજદારીથી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
બિહાર સરકારના મંત્રી સંજય ઝા ફ્લાઈટમાં હતા
મળતી માહિતી મુજબ આ ફ્લાઈટમાં બિહાર સરકારના મંત્રી સંજય ઝા પણ હાજર હતા. મંત્રી સંજય ઝા પટનાથી દિલ્હી જઈ રહ્યા તે દરમિયાન અચાનક ટેકનિકલ ખામીના કારણે તેને પટના પણ પરત ફરવું પડ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે જ્યા સુધી ફ્લાઈટના પેસેન્જરો ફ્લાઈટ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સંજય ઝા ફરી દિલ્હી ગયા ન હતા. તેઓ પટનામાં તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. સમગ્ર ઘટનાને લઇ મંત્રી સંજય ઝાએ કહ્યું હતું કે, ફ્લાઇટમાં આવી સમસ્યાઓ થતી રહે છે. આ કાઇ મોટી વાત નથી. ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ થવામાં થોડીક ટેકનિકલ ખામી હતી જોકે પાયલટની સમજદારીથી કોઇ પણ મુસાફરોને જાનહાની થઇ નથી. પ્લેન રિપેર થયા બાદ મુસાફરોને અન્ય પ્લેન દ્વારા દિલ્હી મોકલવામાં આવશે.


