- ભારતીય સેના અધ્યક્ષ મનોજ પાંડેએ આપી માહિતી
- સરહદ પર થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર ચાંપતી નજર
- હથિયારો, ડ્રગ્સ અને આંતકવાદીઓને અટકાવામાં આવશે
ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન સરહદ પર અવારનવાર ત્રાસવાદીઓ અને ઘૂસણખોરોનો ત્રાસ રહે છે. ઘૂસણખોરો ભારત-પાકિસ્તાન સરહદેથી હથિયારો, ડ્રગ્સ અને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. જેને લઈને હવે ભારતીય સેનાએ તેમના પર સકંજો જમાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે.
મળતી માહિતી મુજબ,
ભારતીય સેનાના જનરલ મનોજ પાંડેએ મણિપુરમાં છેલ્લા ઘણાં મહિનાઓથી ચાલી રહેલી હિંસા અંગે માહિતી આપી હતી. દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ પાકિસ્તાન સરહદે આતંકીઓની ઘૂસણખોરી સહિત ભારતીય સરહદોની સુરક્ષા અંગે અપડેટ આપ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરી માથાનો દુઃખાવો થઈ રહ્યો છે. જેને લઈને ભારતીય સેનાના વડાએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
ભારતની ઉત્તરની સરહદની સ્થિતિ
ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે, ભારતની ઉતરની સરહદ પર સ્થિર અને સંવેદનશીલ એમ બંને પ્રકારની સ્થિતિ જોવા મળે છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામા સેનાના જવાનો તૈનાત છે અને કોઈપણ પ્રકારના ઓપરેશન માટે સેનાની તૈયારી ઉચ્ચ સ્તરે છે અને સેના તૈયારીઓની સાથે-સાથે વિવિધ મુદ્દાઓ પર સૈન્ય સ્તર અને રાજદ્વારી સ્તરે પણ વાતચીત કરી રહી છે. ભારતીય આર્મી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા સંરક્ષણ દળો ઉપલ્બધ છે.
સેના ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવી રહી છે.
સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડે એ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસ યથાવત છે. અને સતત ઘૂસણખોરીના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. અને તેના માટે ઘૂસણખોરો દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારતીય સેના ઘૂસણખોરોના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે તેમજ રાજૌરી અને પુંછમાં આતંકીઓને પડોશી દેશ(પાકિસ્તાન) તરફથી મદદ મળી રહી છે. તેમ છતાયં જમ્મુ અને કશ્મીરમાં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધતી રહી છે.
મણિપુરમાં સ્થિતિ સ્થિર રહી
વધુમાં જનરલ મનોજ પાંડે એ જણાવ્યું હતું કે, ઉત્તર અને પૂર્વોત્તરના રાજ્ય એવા મણિપુરમાં છેલ્લાં ઘણાય સમયથી ચાલી રહેલી હિંસા અને ત્યાંની સ્થિતિને લઈને મણિપુરમાં હિંસાની સ્થિતિ હતી. પરંતુ ભારતીય સેના અને આસામ રાઈફલ્સના સંયુક્ત પ્રયાસોને કારણે સ્થિતિ સ્થિર થઈ રહી છે. ત્યાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.
સેના અધ્યક્ષે બોર્ડર અંગે આપતાં જણાવ્યું હતું કે,
ભારતીય સેના હેવ ડ્રોન ટેક્નોલોજી અને એન્ટી ડ્રોન ટેક્નોલોજીથી સજ્જ છે અને ભારતીય સેનામાં અત્યારે 120 મહિલા અધિકારી તૈનાત કરાઈ છે, જે સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. તેમજ ભારતીય સેના એચઆર પોલિસી અને અગ્નિવીર યોજના પર પણ કામ કરી રહી છે અને અગ્નિવીર ખુબ જ સારું અને ઊર્જાવાન રીતે કામ કરી રહી છે. વધુમાં યુવા જવાનોની ભરતી પ્રક્રિયામાં ઘણા સકારાત્મક રીતે ફેરફાર કર્યા છે અને સાયબર સિક્યોરિટી વિંગ હેવ તમામ કમાન્ડન્ટ હેડક્વોર્ટરમાં સામેલ કરવામાં આવશે. ટેરિટોરિયલ આર્મીમાં અમે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પણ સામેલ કરાશે.
આર્મીમાંથી 1 લાખ લોકો ઓછા થશે
વધુમાં સેના પ્રમુખે તેમને મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય આર્મીમાંથી 1 લાખ લોકો થશે ઓછા થવાના છે. આગામી વર્ષ 2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યાર બાદ ભારતીય સેનામાં અંદાજે 1 લાખ લોકો ઓછા થશે. અને તેમણે કહ્યું હતું કે, મેં સેનામાં એનિમલ ટ્રાન્સપોર્ટ ઓછું કરી દીધું છે, હવે તેની જગ્યા ડ્રોને લઈ લીધી છે અને અગ્નિપથ હેઠળ આવેલા અગ્નિવીરોની બે બેચ ફીલ્ડમાં તૈનાત કરી દેવામાં આવી છે અને અગ્નિવીરોમાં ઉત્સાહ છે.


