By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરમપાવન પજુસણ મહાપર્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પરમપાવન પજુસણ મહાપર્વ

agragujaratnews
Last updated: 2023/10/06 at 9:02 AM
2 years ago
Share
પરમપાવન પજુસણ મહાપર્વ
SHARE

પજુસણનો સાચો શબ્દ છે પર્યુષણા મહાપર્વ. પર્યુષણનો વ્યાકરણ પ્રમાણે અર્થ થાય છે આત્મામાં રહેવું. આત્માની બહાર જઈને રહેવું એટલે જડ પદાર્થોમાં આપણા મનને લઈ જવું. ખાવા-પીવાનું કે મોજમજા કરવી એટલે આત્મામાંથી બહાર નીકળવાની વાત આવે, જ્યારે ખાવા વગેરે બાહ્ય પ્રવૃત્તિમાંથી બહાર નીકળવાનું અને માત્ર આત્મામાં રહેવાનું કેવી રીતે થઈ શકે? ઉપવાસ કરીને. ઉપવાસ કરવામાં આપણે કોઈ બહારની અપેક્ષા રાખવાની નથી. રાખવાની જરૂર પણ રહેતી નથી. આજે શું રસોઈ બનાવી છે? આવું પૂછવાની જરૂર ત્યારે જ પડે જ્યારે આપણે ભોજનની જરૂર હોય. ઉપવાસમાં તો આવી અપેક્ષા જ રાખવાની નહીં. મારે તો મારા આત્માને પુષ્ટ બનાવવો છે અને આત્માને પુષ્ટ બનાવવા માટે એને આધ્યાત્મિક ખોરાક પૂરો પાડવાનો હોય.

બીજા નંબરમાં આત્માને પુષ્ટ બનાવવા માટે હિંસાનો ત્યાગ કરવો જરૂરી છે. કોઈ પણ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાનો. કોઈ પણ નાના કે મોટા જીવને ક્લેશ પહોંચાડવો નહીં. શાસ્ત્ર તો ત્યાં સુધી આદેશ કરે છે કે કોઈ જીવને આવવા જવાનો માર્ગ હોય અને ત્યાં કોઈ સાધક બેઠેલા હોય અને સાધના કરતા હોય તો સાધકે પહેલાં જીવનો માર્ગ કરી આપવો જોઈએ પણ એ જીવને ખસેડવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, કારણ કે એમાં એને ત્રાસ-ક્લેશ થાય છે.

કોઈ પણ જીવનો પ્રાણનાશ કરવો એ જ હિંસા છે એવું નથી, પણ એને માનસિક ત્રાસ આપવો એ પણ હિંસા છે. આવી સૂક્ષ્મ વાત ભગવાન મહાવીરે કરી છે. જગત જો આવું અહિંસક બની જાય તો સમાજમાં કોઈ પણ વ્યક્તિને એકબીજા માટે અસદ્ભાવ રહે નહીં. સતત સર્વના માટેનો સદ્ભાવ હોય ત્યારે અંતર શાંતિથી ઉભરાય અને આનંદની છોળો ઉછળે.

જીવન સાત્ત્વિક હોય ત્યારે એના વિચારો ઊંચા જ રહેવાના. ઊંચા વિચારોવાળા બીજાને દુઃખ આપીને પોતાના સુખનો વિચાર કરવાવાળા ન હોય એ તો પોતાના કષ્ટની પરવા કર્યા સિવાય બીજાના સુખ માટે જ પ્રયત્નશીલ હોય. આવા માણસને અસત્યનો સાથ લેવાની જરૂર જ ન પડે. એની જીભ પણ સત્યને જ સાથ આપવાવાળી હોય.

આ પજુસણના દિવસોમાં કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું હોય છે. જેની રચના ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી છે. જે શ્રુતકેવલી હતા. એટલે કે એમની પાસે કોઈ પણ વસ્તુનો બોધ ન હોય એવું ન બને. પજુસણ મહાપર્વના દિવસો આવી રહ્યા છે. જીવનને શાંત અને પ્રશાંત બનાવવાના આ દિવસો છે. આખા વર્ષ દરમિયાન આપણે ક્યારેય પણ કોઈના પ્રત્યે અસદ્ વ્યવહાર કરેલો હોય, થઈ ગયો હોય તો એની ક્ષમા માગીને આપણે શુદ્ધ થવાનું. સામેનો માણસ આપણને ક્ષમા આપે તો સારું પણ કદાચ ન આપે તો પણ આપણે તો સાચા હૃદયથી ક્ષમા માગીને શુદ્ધ બની શકીએ.

પજુસણમાં સિદ્ધિ તપ નામની એક આરાધના છે. એમાં એક ઉપવાસ કરીને બીજા દિવસે માત્ર બેય ટાઈમ ખાવાનું પછી બે ઉપવાસ કરવાના એક દિવસ બે ટાઈમ ખાવાનું પછી ત્રણ ઉપવાસ આમ આઠ ઉપવાસ સુધી કરવાનું અને આઠમા ઉપવાસ પછી બે ટાઈમ ખાવાનું એટલે આ સિદ્ધિ તપ પૂરાં થાય.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
હેલ્થ

Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત

By 3 days ago
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?