- આચાર્ય વિજયલેખેન્દ્રસુરીજીની નીશ્રામાં કાર્યક્રમ
- નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયના અંજનશલાકા મહોત્સવનું આયોજન
- પ્રસંગમાં અગાઉ શનીવારે કર્ણાટકના રાજયપાલ થાવરચંદજી ગહલોત ઉપસ્થીત
જૈન ધર્મના મહાતીર્થ એવા પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક વઢીયાર અને ઝાલાવાડ પ્રદેશની સરહદે આવેલા દસાડા તાલુકાના પાનવા ગામે રાષ્ટ્રસંત આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયલેખેન્દ્રસુરીજીની નીશ્રામાં નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયના અંજનશલાકા મહોત્સવનું આયોજન તા. રપથી 31 જાન્યુઆરી દરમીયાન કરાયુ છે. આ પ્રસંગમાં અગાઉ શનીવારે કર્ણાટકના રાજયપાલ થાવરચંદજી ગહલોત ઉપસ્થીત રહ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરંપરા ધર્મગુરુથી આગળ ધપે છે. ધર્મ મનુષ્યના જીવનમાં સામાજીક, ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓને પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું હતું કે તપ એ જીવનની જ્યોતી છે. તપસ્યા મનને શુદ્ધ અને આત્માને ઉજ્જવળ બનાવે છે.આ કાર્યક્રમમાં આજે તા.30 જાન્યુઆરીને મંગળવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ધાર્મીક કાર્યક્રમમાં સહભાગી બનશે અને સભાને સંબોધીત કરશે.


