એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું
પૂ. આચાર્ય શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી એટલાન્ટિસ હિલ્સ સંઘ અને કલ્યાણ સખી વૃંદ દ્વારા જિનાલયમાં કરાઈ આરાધના
અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ પૂજ્ય આચાર્ય દેવ જયશેખર સૂરીશ્વરજી મહારાજ આદિની પ્રેરણાથી ‘એટલાન્ટિસ હિલ્સ જિનાલય’ ખાતે એટલાન્ટિસ હિલ્સ સંઘ અને કલ્યાણ સખી વૃંદના સંયુક્ત ઉપક્રમે સતત ૨૭ દિવસ સુધી ભવ્ય ‘ભક્તામર પૂજન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આરાધના દરમિયાન એકત્રિત થયેલું ફંડ જીવદયાના ઉત્તમ કાર્ય અર્થે બટુક મહારાજની ગૌશાળામાં ગૌમાતા માટે અર્પણ કરવામાં આવ્યું હતું.
પૂજન પ્રસંગે પ. પૂ. આચાર્ય ભગવાન માનતુંગ સૂરીશ્વરજી મહારાજ સાહેબ રચિત પ્રભાવશાળી ભક્તામર સ્તોત્રના મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું. રાજા ભોજના દરબારમાં આચાર્ય ભગવાનને ૪૮ બેડીઓથી બાંધવામાં આવ્યા હતા ત્યારે તેમણે એક-એક કડીની રચના કરી હતી અને તમામ બેડીઓ તૂટી જતાં તેઓ બંધનમુક્ત થયા હતા. આવા પ્રભાવશાળી ભક્તામર સ્તોત્રનું કલ્યાણ સખી વૃંદ એટલાન્ટિસ હિલ્સના સભ્યો દ્વારા ૨૭ દિવસ સુધી પૂજન કરાયું હતું.
આ સમગ્ર આરાધના અને જીવદયાના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિમલભાઈ વોરા, પાર્થભાઈ વોરા, ભરતભાઈ મહેતા, કિર્તીભાઈ શાહ, નિશાંતભાઈ વોરા, પરાગભાઈ દોશી, હેનીલભાઈ કોઠારી, બીમલભાઈ મહેતા, છાયાબેન મહેતા, જીજ્ઞાબેન ધ્રુવ, જલ્પાબેન ધ્રુવ, સંગીતાબેન મહેતા, બીનાબેન ગાંધી, બીનાબેન શાહ, મયુરીબેન દોશી, રાજેશ્રીબેન કામદાર, ભાવનાબેન અદાણી, પ્રતિભાબેન મહેતા, રીધીકાબેન વોરા, નિકેતાબેન શાહ, મોનાબેન કોઠારી અને હેમાબેન મોદી સહિતના સાધર્મિકોએ જહેમત ઉઠાવી હતી.
આ ઉત્કૃષ્ટ ધાર્મિક અને સામાજિક કાર્ય બદલ વિપુલભાઈ દોશી, મહેશભાઈ મણીયાર, નીતેશભાઇ શાહ, દિલેશભાઈ શાહ, પંકજભાઈ મડિયા, દીપકભાઈ શેઠ, કપિલભાઈ જસાણી, ચિરાગભાઈ મહેતા, અશ્વિનભાઈ રૂપાપરા અને યતીનભાઈ સુરેજા સહિતના અગ્રણીઓએ સૌને હૃદયપૂર્વક અનુમોદના પાઠવી હતી.


