By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઔરંગઝેબ દ્વારા મંદિર તોડવાથી લઈને 31વર્ષ બાદ વ્યાસ ભોંયરામાં પૂજાની મંજૂરી સુધીની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઔરંગઝેબ દ્વારા મંદિર તોડવાથી લઈને 31વર્ષ બાદ વ્યાસ ભોંયરામાં પૂજાની મંજૂરી સુધીની

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:28 AM
2 years ago
Share
ઔરંગઝેબ દ્વારા મંદિર તોડવાથી લઈને 31વર્ષ બાદ વ્યાસ ભોંયરામાં પૂજાની મંજૂરી સુધીની
SHARE

  • 1991માં વારાણસી કોર્ટમાં પહેલો મુકદ્દમો દાખલ થયો હતો
  • પૂજાસ્થળ કાયદા હેઠળ મસ્જિદ કમિટીએ હિન્દુ પક્ષની અરજીને પડકારી
  • 25 જાન્યુઆરી 2024એ રિપોર્ટ સાર્વજનિક કરાયો; જ્ઞાનવાપીમાં મંદિરનું સ્ટ્રક્ચર મળ્યું છે

જ્ઞાનવાપી કેસમાં જિલ્લા અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે હિન્દુ પક્ષને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી દીધી છે. વ્યાસ ભોંયરું 1993થી બંધ હતું. બુધવારે જ જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતમાં જ્ઞાનવાપી પરિસરનો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ)નો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરાયો હતો. રિપોર્ટ અનુસાર, જ્ઞાનવાપીમાં મંદિરનું માળખું મળી આવ્યું છે.

જ્ઞાનવાપી વિવાદ બાબતે હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે 100 ફૂટ ઊંચું આદિ વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લીંગ છે. કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2025 વર્ષ પહેલાં મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પણ ઔરંગઝેબે 1664માં મંદિર તોડાવી નાખ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તે જમીન પર કરવામાં આવ્યું છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે જાણીતી છે.

અરજીદારોએ માગણી કરી હતી કે જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરીને એ શોધી કાઢવું જોઈએ કે જમીનની અંદરના ભાગે મંદિરના અવશેષો છે કે નહીં. સાથે જ વિવાદિત માળખાની ફર્શ તોડીને એ પણ શોધવામાં આવે કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લીંગ સ્વયંભૂ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં છે કે નહીં. મસ્જિદની દીવાલોમાં પણ તપાસ કરીને જાણવામાં આવે કે આ મંદિર છે કે નથી. અરજીકર્તાઓનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષો વડે જ જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ થયું હતું. આ દાવા પર અદાલતે કોર્ટ કમિશનર નિયુક્ત કરીને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) પાસે સર્વે કરાવ્યો હતો. ગયા બુધવારે એએસઆઇનો આ સર્વે રિપોર્ટ સાર્વજનિક થયો છે.

આ વિવાદમાં અત્યાર સુધીમાં શું શું બન્યું

કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસમાં 1991માં વારાણસી કોર્ટમાં પહેલો મુકદ્દમો દાખલ થયો હતો. અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં પૂજાની મંજૂરી માગવામાં આવી હતી. પ્રાચીન મૂર્તિ સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વર તરફથી સોમનાથ વ્યાસ, રામરંગ શર્મા, અને હરિહર પાંડેયનો વાદી તરીકે સમાવેશ થાય છે.

મુકદ્દમો દાખલ થયાના થોડાક મહિના બાદ સપ્ટેમ્બર 1991માં કેન્દ્ર સરકારે પૂજાસ્થળ કાયદો બનાવી નાખ્યો. આ કાયદો એમ કહે છે કે 15 ઓગસ્ટ 1947ની પહેલાં અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજાસ્થળને બીજા કોઈ ધર્મના પૂજાસ્થળમાં બદલી ન શકાય. જો કોઈ એવું કરવાની કોશિશ કરે તો તેને એકથી ત્રણ વર્ષ સુધીની જેલ અને આર્થિક દંડ થઈ શકે છે.

તે વખતે અયોધ્યાનો કેસ કોર્ટમાં હતો તેથી તેને આ કાયદાથી અલગ રખાયો હતો પણ જ્ઞાનવાપી કેસમાં આ કાયદાનો આધાર ટાંકીને મસ્જિદ કમિટીએ અરજીને હાઈકોર્ટમાં પડકારી હતી. 1993માં અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે મૂકીને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.

2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કોઈ પણ કેસમાં સ્ટે ઓર્ડરની કાયદેસરતા માત્ર છ મહિના માટે જ રહેશે, ત્યાર બાદ ઓર્ડર અસરકારક નહીં રહે.

આ આદેશ બાદ 2019માં વારાણસી કોર્ટમાં ફરી આ કેસમાં સુનાવણી શરૂ થઈ. 2021માં વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદના પુરાતાત્ત્વિક સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી.

આદેશમાં એક કમિશન નિયુક્ત કરાયું અને એ કમિશનને છ અને સાત મેના રોજ બંને પક્ષોની હાજરીમાં શ્રુંગારગૌરીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ અપાયો. અદાલતે આ બાબતમાં 10 મે સુધીમાં સંપૂર્ણ માહિતી માગી હતી.

છ મે, પહેલા દિવસનો સર્વે થઈ શક્યો હતો પણ સાતમી મેએ મુસ્લિમ પક્ષે તેનો વિરોધ શરૂ કર્યો અને કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.

12 મેએ મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થઈ. કોર્ટે કમિશનરને બદલવાની માગણી રદ કરી દેવામાં આવી અને 17 મે સુધી સર્વેનું કામ પૂરું કરાવીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અપાયો. કોર્ટે કહ્યું કે જ્યાં તાળાં લાગ્યાં છે ત્યાં તાળાં તોડાવી નાખો. જો કોઈ અવરોધ ઊભો કરવાની કોશિશ કરે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરો પણ સર્વેનું કામ કોઈ પણ સંજોગોમાં પૂરું થવું જોઈએ.

14 મેએ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર સ્ટે મૂકવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો ઇનકાર કરતાં કહેલું કે અમે કાગળો જોયા વગર આદેશ ન આપી શકીએ. હવે કેસમાં 17 મેએ સુનાવણી થશે.

14 મેથી જ્ઞાનવાપીના સર્વેનું કામ ફરી શરૂ થયું. બધા બંધ ઓરડાથી લઈને કૂવા સુધી બધાની તપાસ થઈ. આ આખી પ્રક્રિયાની વીડિયો અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી.

16 મેએ સર્વેનું કામ પૂરું થયું. હિન્દુ પક્ષે દાવો કર્યો કે કૂવામાંથી બાબા મળી ગયા છે. તેના ઉપરાંત, હિન્દુ સ્થળ હોવાના ઘણા પુરાવા મળ્યા છે. જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું કે સર્વે દરમિયાન કશું નથી મળ્યું. હિન્દુ પક્ષે તેના વૈજ્ઞાનિક સર્વેની માગણી કરી. મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો.

21 જુલાઈ 2023એ જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની માગણી મંજૂર કરતાં જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપી દીધો.

24 જાન્યુઆરીએ જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે બુધવારે ચુકાદો આપ્યો. જિલ્લા જજે વાદી પક્ષને સર્વે રિપોર્ટ આપવાનો આદેશ કર્યો.

25 જાન્યુઆરી 2024એ રિપોર્ટ સાર્વજનિક કરી દેવાયો. રિપોર્ટ અનુસાર, જ્ઞાનવાપીમાં મંદિરનું સ્ટ્રક્ચર મળ્યું છે. આ બાબતે હિન્દુ પક્ષે આનંદ વ્યક્ત કર્યો.

31 જાન્યુઆરી 2024એ વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી દીધી.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
રાજકોટ

 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે

Editor By Editor 3 days ago
 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?