- કેનેડીયન વિદેશ મંત્રી મેલાની જોલીનું મહત્વનું નિવેદન
- મેલાનીએ કરી હતી યુદ્ધ ગ્રસ્ત યુક્રેનની મુલાકાત
- કેનેડા યુદ્ધના અંત માટે સંપૂર્ણપણે સમર્પિત
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે કેનેડા પેલેસ્ટાઈનના વિસ્તાર પર કબજો કરનાર કટ્ટરપંથી નાગરિકો અને હમાસના નેતાઓ પર પ્રતિબંધ લગાવશે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જોલીએ કહ્યું હતું કે સરકાર સક્રિય રીતે આ દિશામાં કામ કરી રહી છે. મેલાની જોલીએ તાજેતરમાં યુક્રેનનો પ્રવાસ કર્યો હતો અને ત્યાંનાં યુક્રેનિયન અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
હમાસ નેતાઓ અને કટ્ટરવાદી ઈજરાયલી નાગરિકો પર પ્રતિબંધ
મેલાની જોલીએ કહ્યું કે અમે કટ્ટરવાદી સેટલર્સ પર પ્રતિબંધ લગાવશે સાથે સાથે હમાસના નેતાઓ પર પણ નવા પ્રતિબંધો લગાવવામાં આવશે. શુક્રવારે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ વેસ્ટ બેંકમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા કટ્ટરપંથી ઇઝરાયેલીઓ સામે પ્રતિબંધો લાદવાનું પણ વિચારી રહ્યા છે. ટ્રુડોએ કહ્યું કે વેસ્ટ બેંકમાં જમીન કબજે કરવા માટે થઈ રહેલી હિંસા અસ્વીકાર્ય છે અને તે પ્રદેશની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. બે રાષ્ટ્રોના ઉકેલ તરફ આગળ વધવું જરૂરી છે.
મેલાની જોલીએ કહ્યું કે કેનેડા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ શોધવા માટે સમર્પિત છે અને સાથે સાથે વિવાદના ઉકેલની તરફેણ પણ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે હમાસ આત્મસમર્પણ કરી દે જેથી યુદ્ધવિરામ થઈ શકે. જોલીએ કહ્યું કે સૌથી પહેલા અમે ઈચ્છીએ છીએ બંધકોને મુક્ત કરવા માટેની ડીલ થાય. તેમજ ગાઝાને માનવતાવાદી રાહત પહોંચાડવામાં આવે. અમે સંશોધિત પેલેસ્ટિનિયન ઓથોરિટી ઈચ્છીએ છીએ. તો, અમે ઇઝરાયેલમાં એવી સરકાર ઇચ્છીએ છીએ જે Two State solution તરફ મહત્વપૂર્ણ કાર્ય કરવા તૈયાર હોય.
અમેરિકાએ 7 ઓક્ટોબરથી હમાસ પર પાંચ રાઉન્ડના પ્રતિબંધો લાદ્યા છે. ગત સપ્તાહે પણ અમેરિકાએ હમાસ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ પશ્ચિમ કાંઠે વધી રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, કટ્ટરપંથી ઇઝરાયેલના નાગરિકો પશ્ચિમ કાંઠે સ્થાયી થઈ રહ્યા છે અને વર્ષ 2023માં તેમની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. પશ્ચિમી દેશોએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.


