By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: જ્ઞાની થવાથી પરબ્રહ્મ રૂપી પરમાત્માને પામી શકાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જ્ઞાની થવાથી પરબ્રહ્મ રૂપી પરમાત્માને પામી શકાય છે

agragujaratnews
Last updated: 2023/10/07 at 3:42 PM
2 years ago
Share
જ્ઞાની થવાથી પરબ્રહ્મ રૂપી પરમાત્માને પામી શકાય છે
SHARE

જ્ઞાનેન તુ તત્ અજ્ઞાનમ યેષમ નાશિતમ આત્મન: II

તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત પરમ II 5/16 II

અર્થ : જેનું પોતાનું અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે, તેઓનું જ્ઞાન સૂર્યની માફક તે ઉત્તમ પરમાર્થ તત્ત્વને પ્રકાશિત કરે છે.

અજ્ઞાનનો નાશ કરવાની વાત કરેલી છે. મનુષ્યને જ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે તેના અજ્ઞાનપણાનો નાશ થઇ ગયો હોય. જ્ઞાન થવું એટલે સદ્બુદ્ધિ આવવી. દુર્બુદ્ધિ નષ્ટ થાય અને વ્યક્તિ સારાં સારાં કર્મ કરવા લાગે એટલે માનવું કે તેનામાં સદ્બુદ્ધિ આવી. બુદ્ધિ તો દરેકમાં હોય છે, પણ આપણે તો સદ્બુદ્ધિ અથવા તો જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છીએ.

અજ્ઞાનનો નાશ ક્યારે થાય? જો તમે સારા ગ્રંથનું અધ્યયન કરતા હો, ગુરુજન પાસે સતત જતા હો, કોઇ સદ્ગુરુનું શરણ સ્વીકાર્ય હોય તો એ તમને તમારી અજ્ઞાનતા દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે. એકલા બેસી રહેવાથી કશું પ્રાપ્ત થતું નથી. જ્યારે મનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઇ જાય છે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ પણ કંઈક અંશે બદલાઇ જાય છે. તેના ચહેરા ઉપર પણ જ્ઞાનની ચમક વર્તાય છે. જ્ઞાની થવાથી તે પરબ્રહ્મ રૂપી પરમાત્માના તત્ત્વને પામી શકે છે. અહીં પરમ તત્ત્વને – પરમાર્થ તત્ત્વને પ્રકાશિત કરે છે એમ લખ્યું છે અર્થાત્ તેનાં સાક્ષાત્ દર્શન કરી શકાય છે. પરબ્રહ્મના પ્રકાશના પુંજથી તે વ્યક્તિનું જીવન પણ તેજોમય બની જાય છે અને અંતે તે પ્રભુમાં સમાઈ જઈને સદાયની શાંતિ પ્રાપ્ત કરી લે છે.

તદબુદ્ધય તદાત્માન: તન્નિષ્ઠા તત્પરાયણા: II

ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂતકલ્મષા: II5/17II

અર્થ : તે પરબ્રહ્મમાં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે. તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ તેમના જ પારાયણ બની જાય છે. જ્ઞાન વડે જેમનાં પાપકર્મ નાશ પામે છે તેઓ જન્મ-મરણના ચક્કરમાં પડતા નથી.

ભગવાનમાં જેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે પછી તેને બ્રહ્મ એટલે કે આત્માની ઓળખ થઇ જાય છે. આત્મા તે જ પરમાત્મા. બ્રહ્મ એટલે જ પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે બ્રહ્મથી પણ પર અથવા તો બ્રહ્મથી પણ ઉપરનું ચેતનાતત્ત્વ. એ પણ ઈશ્વરના એક સ્વરૂપની જ વાત છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જુદાં જુદાં સર્જન, સંવર્ધન અને સર્વનાશનાં પ્રતીકાત્મક સ્વરૂપ છે, પણ અંતે તો સમગ્ર જગત અને બ્રહ્માંડને નિયંત્રિત કરનાર એક જ તત્ત્વ છે તેવું આપણે સ્વીકારીને જ ચાલીએ છીએ તે જ અર્થમાં અહીં જ્ઞાન થવાથી બુદ્ધિ પ્રભુમાં સ્થિર થઇ જ જાય છે તેમ સમજી લેવું. તે આત્મા ત્યારપછી પ્રભુ સિવાય બીજા કોઇ ચૈતન્ય તત્ત્વનો વિચાર પણ કરતો નથી.

આમ થવાથી તેનાં જનમોજનમનાં તમામ પાપકર્મ દૂષિત કર્મ નાશ પામે છે. આપણે જેને લખચોરાશીના ફેરા કહીએ છીએ તેવા ફેરાના ચક્કરમાંથી તે આત્મા કાયમને માટે છૂટી જાય છે. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ આવે એટલે અંધકાર ગાયબ. આ સ્થિતિમાં કોઇ પાપકર્મનું કે તે અંગેના વિચારનું પણ અસ્તિત્વ રહેતું નથી. જ્ઞાની થવાથી બુદ્ધિ સ્થિર થાય છે અને આત્માની પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા એટલી બધી વધી જાય છે કે તે ઈશ્વર સિવાય બીજું કશું જ વિચારતો નથી.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
હેલ્થ

લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક

By 4 days ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
નાડીનો અર્થ, મર્મ અને…
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?