- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર સિરીઝમાં સંપૂર્ણ ફલોપ
- શ્રેયસ ઐયરે 13 ટેસ્ટ ઇનિંગ્સમાં એક પણ ફિફટી ફટકારી નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરનું બેટ હજુ પણ શાંત છે. ઐયર સિરીઝની પ્રથમ બે મેચમાં એક પણ સદી ફટકારી નથી. ઐયરે અત્યાર સુધી રમાયેલી કુલ 4 ઇનિંગ્સમાં માત્ર 114 રન જ બનાવ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઐયર ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રેયસે તેની છેલ્લી 13 ટેસ્ટ ઇનિંગ્સમાં એક પણ ફિફટી ફટકારી નથી. તેણે છેલ્લે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટમાં ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો હતો.
‘જાઓ અને ડોમેસ્ટિકમાં રન બનાવો’
2 વર્ષનો લાંબો સમય વીતી ગયો, પરંતુ ખેલાડીના બેટમાંથી એક પણ ફિફટી આવી નથી. ઐયરને સાઉથ આફ્રિકાના પ્રવાસ પર પણ લેવામાં આવ્યો હતો, પરંતુ અહીં પણ ઐયરે ટીમને નિરાશ જ કર્યો હતો. બેટ્સમેનના ફોર્મને જોતા એ નિશ્ચિત માનવામાં આવે છે કે તે ઈંગ્લેન્ડ સામેની બાકીની મેચોમાંથી બહાર થઈ જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 મેચ થઈ ગઈ છે, સિરીઝમાં હજુ 3 મેચ બાકી છે. હવે એવું લાગી રહ્યું છે કે આ ખેલાડી આગામી 3 મેચ માટે ટીમની બહાર થઈ જશે. એક ભૂતપૂર્વ ખેલાડીએ પણ ઐયરને કહ્યું કે પાછા જાઓ અને ઘરેલુ ક્રિકેટમાં રન બનાવો.
‘રજત પાટીદારનું પણ પત્તુ કપાશે’
શ્રેયસ ઐયર પોતાના ખરાબ ફોર્મના કારણે સતત ચર્ચામાં રહે છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ ઐયરને લઈને મોટી વાત કહી છે. તેણે કહ્યું કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 મેચો માટે વાપસી કરી શકે છે. જો આ બંને સ્ટાર્સ પરત ફરશે તો તેઓ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર અને રજત પાટીદારને ટીમ છોડવી પડશે. જો ટીમમાં સ્થાન ન મળે અને ત્યાં રન બનાવ્યા તો ઐયર માટે વધુ સારું રહેશે કે તેઓ પાછા જઈને ઘરેલુ ક્રિકેટ રમે.
સરફરાઝ ખાનને તક મળી શકે છે
કેએલ રાહુલ આઉટ થયા બાદ બીજી ટેસ્ટમાં રજત પાટીદારને તક આપવામાં આવી હતી. પરંતુ રજતે ટીમને પણ નિરાશ કરી અને કેપ્ટન રોહિત શર્માને એ વિચારવા મજબૂર કર્યો કે તેને રમાડવાનો ખોટો નિર્ણય હતો. રજત પાટીદાર અને સરફરાઝ ખાનમાંથી એક ખેલાડીને બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનો હતો. હવે એવી ધારણા છે કે સરફરાઝ ખાનને ભારતીય ટીમ માટે રમવાની તક મળી શકે છે.
ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે
તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જે ઈંગ્લેન્ડના નામે હતી. આ પછી સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ભારતે આ મેચ જીતી હતી. હવે શ્રેણીની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.


