- પોલીસના જૂદા જૂદાં હેલ્પલાઈન નંબરના ઉપયોગની જાણકારી આપી
- પોલીસે ટ્રાફીક નિયમોનું પાલન કરી સલામત ડ્રાઇવીંગ કરવાની સમજ અપાઇ
- સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રીક્ષા ચાલકો સાથે બેઠક યોજી હતી
સુરેન્દ્રનગર ટ્રાફીક શાખાના પીએસઆઇ એમ.આર. ગોહિલ, ટ્રાફીક સ્ટાફ સાથે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રીક્ષા ચાલકો સાથે બેઠક યોજી હતી. અમુક વખત રીક્ષાચાલકો ઝડપી ડ્રાઈવીંગ કરતા હોવાથી મુસાફરોની સલામતી જોખમાતી હોય છે. જેથી પોલીસે ટ્રાફીક નિયમોનું પાલન કરી સલામત ડ્રાઇવીંગ કરવાની સમજ અપાઇ હતી. સાથે અનેક વખત બિનવારસી વસ્તુઓ, શંકાસ્પદ લોકોની અવર જવર સહિતની રીક્ષાચાલકોને સૌથી પ્રથમ જાણ રહેતી હોય છે. અમુક સમયે રીક્ષા ચાલકો પોલીસ કે ટી.આર.બી.ની ગેરવર્તણુકનો પણ ભોગ બનતા હોય છે કે કોઇ લાંચ પણ માંગતુ હોય છે.આવા સમયે તાત્કાલીક મોબાઇલથી સીધી ફરીયાદ થઇ શકે એ માટેની પત્રીકા વિતરણ કરી રોડ ઉપર ફરતા રીક્ષામાં બેસતા લોકો પણ લાભ લઇ શકે એ માટે બેનરો રીક્ષામાં લગાવી નંબરો વિશે જાણકારી અપાઇ હતી.
હેલ્પલાઈન નંબર અને ક્યા કામ માટે ?
100 નંબર(કોઈપણ આપત્તી, ગુના કે ઘટનાની જાણ માટે), 14449 (પોલીસ કે ટીઆરબીની ગેરવર્તણુંક માટે) અને 1064(કોઇપણ સરકારી કામ કાજ માટે કોઇ લાંચ માંગતુ હોય ત્યારે જાણ માટે)


