- કિશ્તવાડમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના સમાચાર નથી
- કિશ્તવાડમાં સવારે 6:36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સવારે 6.36 કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, કિશ્તવાડમાં સવારે 6:36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.7 હતી, જે 20 ફેબ્રુઆરીના રોજ સવારે 06:36 કલાકે આવી હતી. ભૂકંપની ઊંડાઈ 5 કિમી નીચે હતી.
સોમવારે લદ્દાખમાં ભૂકંપ આવ્યો હતો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સોમવારે સાંજે કારગિલના લદ્દાખ વિસ્તારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોમવારે રાત્રે લગભગ 9.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જાનમાલના નુકશાનના સમાચાર નથી
NCSએ એક પોસ્ટમાં જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 5.2 હતી અને તેની ઊંડાઈ 10 કિમી હતી. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
ડિસેમ્બરમાં પણ ભૂકંપ આવ્યો હતો.
આ પહેલા ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. તે સમયે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આ માહિતી આપી હતી. NCS (નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી) અનુસાર, ભૂકંપ સવારે 1.10 વાગ્યે 5 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 33.36 અને રેખાંશ 76.67 પર જોવા મળ્યું હતું.
આ પહેલા સોમવારે સાંજે આસામમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ ઉપરાંત ચીનના જીજાંગ પ્રાંતમાં પણ સવારે સાત વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા સોમવારે સાંજે આસામમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ભૂકંપ સાંજે 7.12 કલાકે અનુભવાયો હતો, જેનું કેન્દ્ર બ્રહ્મપુત્રાના દક્ષિણ કાંઠે પૂર્વ કાર્બી આંગલોંગ જિલ્લામાં જમીનથી 23 કિમી નીચે હતું.


