- નવીન મંદિરનો ત્રિદિવસીય ઉત્સવ મોટી સંખ્યામાં લોકો જોડાયા
- યજ્ઞનો પ્રારંભ કરીને મંડપ પ્રવેશ અને દેવ સ્થાપન કરવામાં આવ્યું
- પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે
સિદ્ધપુર શહેર નજીક આવેલા ખોલવાડા ગામમાં આજે શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી બહુચર માતાજી, શ્રી ગોગા મહારાજ તથા શ્રી રામદેવપીર સહ પરિવારના નવિન મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ ઉજવવામાં આવશે. સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં સોમવારે પ્રથમ દિવસે સવારે યજ્ઞનો પ્રારંભ કરીને બપોરે મંડપ પ્રવેશ અને દેવ સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ અગ્નિ સ્થાપન કરાવ્યું હતું. સાંજે હોમ કર્મ કુટીર ઓમ બાદ સંધ્યા પૂજન આરતી કરવામાં આવી હતી. સોમવારથી રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર રાકેશ બારોટના તાલે ખોલવાડા તેમજ આસપાસના ગ્રામજનો ઝુમી ઉઠયા હતા બીજે દિવસે મંગળવારે સવારે પ્રાતઃ પૂજન કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નૂતન મંદિરનો પ્રસાદ વાસ્તુ કર્મ મહા સ્થાપન યોગ અને સંધ્યા પૂજન આરતી પણ કરવામાં આવી હતી. મહોત્સવના અંતિમ અને પરિણામ સ્વરૂપ દિવસે વહેલી સવારે પ્રાતઃ પૂજા કર્મ અને દીક્ષુ હોમ કર્યા બાદ બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે.


