By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    14 minutes ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

Editor
Last updated: 2026/07/07 at 4:25 PM
17 minutes ago
Share
આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન
SHARE

જેતપરમાં ચાલતા કિશાન આંદોલનનું સમાપન, ઉપવાસીઓના પારણા

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

સરકારે કરેલા પરિપત્ર વિરૂધ્ધ રાજયવ્યાપી લડતની જાહેરાત : બે દિવસ નવા ઠરાવ અંગે કરાશે ચર્ચા-વિચારણ, કમિટીની રચના કરી વિવિધ મુદાનો સમાવેશ કરાશે

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન (પાર્ટ 2) ભલે સમેટી લેવાયું હોય, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ પૂરી થઈ નથી. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે ‘આંદોલન પાર્ટ 3’ શરૂ કરવાનું એલાન કરી દીધું છે.

ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું અને યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે જેતપર ગામના ખેડૂતો છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.

આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા-જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો (પાર્ટ 2) પૂર્ણ કરવામાં આવ્યો હતો. જો કે, આ ઉપવાસ છાવણી ખાતેથી જ આગામી લડતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

આંદોલનના અગ્રણી નેહુલભાઈ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂતો સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂતો દ્વારા સરકારના આ નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે.

આ અન્યાયી પરિપત્ર સામે હવે રાજ્યવ્યાપી લડત આપવા માટે ખેડૂતો સજ્જ બન્યા છે. આગામી દિવસોનું આયોજનમાં આગામી 8-9 જુલાઈ બુધવાર અને ગુરુવારે ગુજરાતના 23 જિલ્લાના ખેડૂત આગેવાનોને મોરબીના જેતપર ગામે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સરકારના નવા પરિપત્ર મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તેમાં કેવા ફેરફારો કરવાથી ખેડૂતોને મહત્તમ ફાયદો થઈ શકે તે અંગે આયોજન કરાશે. આ બેઠક બાદ એક નવી કમિટીની રચના કરવામાં આવશે, જેમાં ખેડૂતોનું હિત ઈચ્છતા, નિષ્પક્ષ અને પ્રમાણિક આગેવાનોનો સમાવેશ કરાશે. આ કમિટી આગામી દિવસોમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામે આરપારની લડાઈ લડશે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે “અમે અમારો હક લઈને જ જંપીશું. સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મનમાની સામે હવે આખું ગુજરાત એક થઈને લડત આપશે.”

You Might Also Like

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

મોરબીના રફાળેશ્વરમાં નાફેડ દ્વારા સંગ્રહ કરેલ મગફળીના જથ્થામાં આગ

ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી

મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત

હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
રાજકોટ

​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ

Editor By Editor 6 days ago
સોમનાથ વંદે ભારતનો રાજકોટ ખાતેનો સ્ટોપ યથાવત રાખવા માંગ
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
ડાંગના વઘઈમાં ૧૨.૪૮, અંબિકામાં ૧૦.3૧ ઈંચ
દારૂની બાતમી આપનાર યુવકનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ હત્યા નિપજાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?