- ફોન પર વાત કરતા આપઘાત કર્યો હોવાની સંભાવના
- તાન્યાના કાનમાં મોબાઈલના હેન્ડ્સ ફ્રી લાગેલા હતા
- કોલ ડિટેઈલ્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડમાં વધુ એક મોડેલે આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં હવે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. મોડેલ તાનિયા એ કરેલ આપઘાત કેસમાં IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથે મિત્રતાના સબંધ હોવાના કારણે વેસુ પોલીસ તેની પુછપરછ કરશે. ક્રિકેટર અભિષેક સનરાઇઝ હૈદરાબાદ સાથે જોડાયેલ હોવાનું જાણવા મળેલ છે.
વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા ભવાની રામેશ્વરસિંગ કાપડની મીલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓની 29 વર્ષિય પુત્રી તાનિયાસિંગ ફેશન ડિઝાઇનીંગ તેમજ મોડેલીંગ સાથે સંકળાયેલી હતી. તાનિયાના જયપુર રહેતા દાદા બિમાર હોવાથી તેની માતા જયપુર ગઇ છે. દરમિયાન ગઇ શનિવારે ઘરે આવીને રાત્રીના સમયે તાનિયાએ બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે સવારે તેના પિતાને જાણ થઇ હતી. આ બનાવના પગલે પરિવારજનોએ આંચકો અનુભવ્યો હતો.
ફોન માંથી ઘણી માહિતી સામે આવશે
ખરેખર કયાં કારણે તાનિયાએ અંતિમ પગલુ ભર્યુ એ કારણ જાણવા માટે પોલીસે આજે મૃતકના માતા પિતા અને સબંધીઓના નિવેદન નોંધ્યા હતા. જેમાં વેસુ પોલીસ મથકના પીએસઆઇ આ મામલે કરેલી તલસ્પર્શી તપાસ હેઠળ મોડેલ તાનિયા IPL ખેલાડી અભિષેક શર્માના સંપર્કમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે પોલીસે અભિષેકને વધુ તપાસ અર્થે પુછપરછ માટે બોલાવ્યો છે. પોલીસ હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતાં એ તરફ તપાસ કેન્દ્રીત બની છે. જો કે તપાસનીસ પીએસઆઇ અનિલ વસાવાએ તેણીના આઇફોન મોબાઇલ ફોનની કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરતાં અભિષેક શર્માને આ કેસમાં પુછપરછ અર્થે બોલાવવા એક ટીમને રવાના કરી છે.

જો કે તાનિયાએ આપઘાત કર્યો એ સમયે તેના મોબાઇલના ઇયર ફોન કાન સાથે જોડાયેલા હતા.છેલ્લે કોની સાથે સંપર્કમાં હતી ? એ રહસ્યમય બાબત બની છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ મુજબ ગત રાતે જ આપઘાત કરી લીધો હતો, સવારે તાનિયા લટકતી હાલતમાં મળી આવી હતી.
કેવી રીતે આવ્યા સંપર્કમાં
મોડેલ તાનિયાસિંગે રહસ્યમય રીતે આપઘાત કરી લેતા ગ્લેમરની દુનિયામાં અનેક તર્ક વિતર્ક ફેલાયા છે. જેમાં તાનિયા સાથે IPL ખેલાડી અભિષેક શર્માની સાથે તેણીની મિત્રતા પણ હતી, પોલીસ અભિષેક શર્માની પુછપરછ કરનાર છે. સુરત રહેતી તાનિયા સાથે ક્રિકેટર અભિષેકની મુલાકાત લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડીયમમાં અગાઉ યોજાયેલી રણજી ટ્રોફી ક્રિકેટ મેચ સમયે થઇ હતી. એ પછી બંને વચ્ચે ગાઢ સબંધ હોવાનું ચર્ચાય રહ્યુ છે.


