- મમતા બેનર્જીએ માંગ્યું આસામ અને મેઘાલય
- લોકસભા ચૂંટણી માટે મમતાનો ‘એકલા ચલો’નો નારો
- મમતા અધીર રંજન ચૌધરી સામે મોટી ફરિયાદ
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં ‘એકલા ચલો રે’નો નારો આપ્યો છે, પરંતુ I.N.D.I ગઠબંધનના બેનર હેઠળ કોંગ્રેસ સાથે સંકલનના રસ્તા હજુ બંધ થયા નથી. આ રસ્તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સરળ બનાવી શકે છે. 24 અકબર રોડના વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં જ સોનિયા ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી શકે છે. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પણ કહ્યું કે INDI ગઠબંધન દરેકના હિતમાં છે. પરંતુ નિર્ણય મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીએ લેવાનો છે.
મમતા બેનર્જીને કોંગ્રેસના લોકસભા નેતા અધીર રંજન ચૌધરી સામે મોટી ફરિયાદ છે. ચૌધરી તો ત્યાં સુધી કહે છે કે જો મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ સાથે તાલમેલ ગોઠવાશે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે પણ અધીર રંજન ચૌધરીના વાકબાણોને લઈને કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં આવી તમામ મડાગાંઠ દૂર કરવાનો રસ્તો શોધી લેશે.
મમતા બેનર્જીએ માંગ્યું આસામ અને મેઘાલય
મમતા બેનર્જીના નિર્દેશ પર રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન તાજેતરમાં મેઘાલય અને ગુવાહાટી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ આસામની કરીમગંજ અને કોકરાઝાર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારો ઉભા કરવા માંગે છે. આ સિવાય મુકુલ સંગમા મેઘાલયની એક લોકસભા સીટ પરથી ઉમેદવાર ઉભા રાખવા માગે છે. TMCના સૂત્રોનું કહેવું છે કે મમતા બેનર્જીએ અગાઉ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં 5 બેઠકો પર લોકસભાના ઉમેદવારો ઊભા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો, આસામમાં બે અને મેઘાલયમાં એક બેઠક કોંગ્રેસ પાસેથી ઇચ્છી રહી છે. એક આસામની બરાક ખીણમાંથી અને એક અપર આસામમાંથી. મમતા બેનર્જી આમાંથી એક સીટ પર સુષ્મિતા દેવને ઉમેદવાર બનાવવા માંગતા હતા. પરંતુ જ્યારે વાત ન બની તો સુષ્મિતાને રાજ્યસભા મોકલવામાં આવી.
આ બંને સીટો પર બંગાળી સંખ્યા ઠીકઠાક છે. જ્યારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં 10 બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક હતી. આસામ અને મેઘાલયમાં પાછળથી કાર્ડ ખોલવાની યોજના હતી. એવું કહેવાય છે કે મમતા બેનર્જીને કોંગ્રેસ સાથે તાલમેલની ચર્ચાના માધ્યમ સામે થોડો વાંધો હતો. પરંતુ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન અને આમ આદમી પાર્ટી સાથે તાલમેલના અંતિમ મુકામે પહોંચ્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ બધુ સાધવાની યોજના છે.
INDI ગઠબંધન તરફથી એક સંદેશ જશે
કોંગ્રેસ પાર્ટીના એક પૂર્વ જનરલ સેક્રેટરીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સાથે સહયોગ ઈચ્છતી નથી તે યોગ્ય નથી. તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનની રૂપરેખામાં સામેલ રહ્યું છે. તાલમેલને લઈને ચર્ચ પણ થઈ છે. પરંતુ અમેને બેઠકો ઓછી મળી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે હજુ દરવાજા બંધ થવાની વાત કરવી ઉતાવળી વાત કહેવાશે. તૃણમૂલ સાંસદનું એમ પણ કહેવું છે કે I.N.D.I ગઠબંધન તરફથી એક સકારાત્મક સંદેશ જશે. તેનાથી ચૂંટણીનો માહોલ બનશે. જેમ, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે તાલમેલના સમાચાર આવ્યા બાદ વાતાવરણ બદલાયું છે. સૂત્રનું કહેવું છે કે જો ઈન્ડિયા એલાયન્સના પક્ષો સાથે મળીને લડશે તો સત્તાધારી પક્ષને ન માત્ર મજબૂત પડકાર આપી શકાશે, પરંતુ તેને સત્તા પરથી હટાવવાની તમામ શક્યતાઓ હશે. તૃણમૂલ નેતાનો દાવો છે કે જો કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડશે તો તે અધીર રંજન ચૌધરીની સીટ જ જીતી શકશે. તેથી બંનેની જરૂર છે.


