- યુપીના કૌશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
- 4 લોકોના મોત થયા હોવાનું આવ્યું સામે
- હાલ ફાયર બ્રિગેડ દ્વારા રેસક્યુની કામગીરી શરૂ
ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ભરવરી શહેરમાં બની ઘટના
આ ઘટના જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશનના ભરવરી શહેરમાં બની હતી. ફટાકડાની ફેક્ટરીમાં હજુ પણ વિસ્ફોટો ચાલુ છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવીને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામની હાલત ખૂબ જ ચિંતાજનક હોવાનું કહેવાય છે.
સીએમ યોગીએ ઝડપી રાહતકાર્ય માટે આપી સૂચના
સીએમ યોગીએ કૌશામ્બીમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા અકસ્માતની નોંધ લીધી હતી. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.


