અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957 થી 2019 સુધીમાં 16 ચૂંટણીઓ યોજાય છે. જેમાં આઠ વાર કોંગ્રેસ સાત વાર ભાજપ અને એક વાર જનતા દળના ઉમેદવારની જીત થઈ છે. છેલ્લા ત્રણ ટર્મથી અહીં ભાજપના નારાયણ કાછડીયા વિજેતા બનતા આવ્યા છે.
લેઉવા પાટીદાર સમાજનો અમરેલી ગઢ છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડમાં ટિકિટ કોને આપી તેનું મનોમંથન ચાલી રહ્યું છે. 2024 લોકસભા ચૂંટણીમાં હવે અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી ભાજપમાં નેતાઓના ચાર નામ ચર્ચાઈ રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રની ધાર્મિક સંસ્થાના બાપાસીતારામની જગ્યા બગદાણા ટ્રસ્ટી સ્વ મનજી બાપાના પુત્ર જનક પટેલનું જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનમાં વર્ષો સુધી કામ કરી શકેલા હિરેન હિરપરા અને ડો. ભરત બોગરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હોવાનો ગણગણાટ છે. તો કોંગ્રેસ પક્ષમાંથી દર વખત વિધાનસભામાં નામ છેલ્લી ઘડીએ બાદબાકી થતી હતી તે જેની ઠુંમરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
અમરેલી બેઠકના દાવેદાર હિરેન હિરપરા ની તેઓ લેવા પાટીદાર સમાજનો ચહેરો છે ધારી તાલુકાના ગામના રહેવાસી છે ઉપરાંત યુવા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે હાલમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેન હિરપરા ફરજ બજાવે છે કાર્યકરોમાં લોકપ્રિયતા પણ સૌથી વધારે જોવા મળી રહી છે અમરેલીના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ટિકિટ જાહેર થતાં અમરેલીમાં હવે ગણગણા ચાલી રહ્યો છે.
ડો. ભરત ગોધરા હાલ પ્રદેશ ભાજપ સંગઠનમાં કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત જસદણના પૂર્વ ધારાસભ્ય છે તેમનું નામ પણ અમરેલી બેઠક પર ચાલી રહ્યું છે આ સાથે દિલીપ સંઘાણીમાં ભાઈ મુકેશ અંબાણીનું નામ પણ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની ધાર્મિક સંસ્થા અમરેલી લોકસભા બેઠકમાં મત વસ્તારમાં આવતી બાપા સીતારામ બગદાણાના ટ્રસ્ટી સ્વ મનજી બાપાના પુત્ર જનક પટેલ હાલ સુરત રહે છે. જેવો સુરતની કરંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય હતા. હાલ પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં પણ કામ કરી રહ્યા છે જેઓ લેવા પાટીદાર સમાજમાંથી આવે છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર સહિત આસપાસના જિલ્લામાં બગદાણાની આસ્થા સેવકમાં સૌથી વધારે છે. તાજેતરમાં સ્વ મનજી બાપાના અવસાન સમયે પી. એમ. નરેન્દ્ર મોદી સહિત નેતાઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. મહિલા કોંગ્રેસના નેતા જેની ઠુંમર યુવા મહિલા ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે અમરેલી કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમરની દીકરી છે કોંગ્રેસ પક્ષમાં ખેડૂત નેતા તરીકે વીરજી ઠુમર ની છાપ છે પ્રજાના પ્રશ્નનો અંગે વારંવાર સરકારને ઘેરવામાં બીઝી ઠુમર સહિત અવાજ ઉઠાવતા હોય છે. તો બીજા નંબરે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાત પણ આવી શકે છે.
અમરેલી બેઠક પર કોણ દાવેદાર, ભાજપમાં ચાર દાવેદારો વચ્ચે રેસ


