- રોજા રાખવાથી આળસ અને ઊંઘ આવી શકે છે: PIA
- એવિએશન કંપનીએ મેડિકલ એડવાઇઝને આધારે લીધો નિર્ણય
- મે-2020માં સર્જાયેલ દુર્ઘટનામાં થયા હતા 99 માંથી 97 મુસાફરોના મોત
પાકિસ્તાની સરકારી ઉડ્ડયન કંપની PIA દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ રમઝાનના પવિત્ર મહિનામાં ઉડ્ડયન દરમિયાન ડયુટી પર હાજર પાયલોટ અને ફ્લાઇટ અટેન્ડેન્ટના રોજા રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં, એવિએશન કંપનીએ આ નિર્ણય મેડિકલ એડવાઇઝને ધ્યાનમાં લઈને કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રોજા રાખવાથી વ્યક્તિને ડિહાઈડ્રેશન થઈ શકે છે. સાથે જ તેને આળસ અને ઊંઘ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
આ એજન્સીઓએ આપી હતી સલાહ
કોર્પોરેટ સેફટી મેનેજમેન્ટ અને એર ક્રૂ મેડિકલ સેન્ટર બંને એજન્સીઓ દ્વારા આ સલાહ આપવામાં આવી છે કે પાકિસ્તાન ઇન્ટરનેશન એરલાઇન્સના પાયલોટ અને કેબિન ક્રૂના સભ્યોએ ફ્લાઇટ દરમિયાન રોજા ન રખાવા જોઈએ.
સૂચનોને આધારે આદેશ જાહેર કરવામાં આવ્યા
PIAના એક અધિકારીએ જણાવ્યું કે, PIAના ટોચના મેનેજમેન્ટ દ્વારા આ સૂચનોના આધારે પાયલોટ અને કેબિન ક્રૂ સ્ટાફને તાત્કાલિક અસરથી પાલન કરવા માટેના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે, તો તેને ઊંઘ અને આળસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, પાઇલોટ્સ અને ક્રૂ સભ્યોને આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દરમિયાન ડયુટી પર હોય ત્યારે રોજા ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આ ઘટનાના સંદર્ભમાં લેવાયો નિર્ણય
નેશનલ એવિએશન કંપનીના એરબસ ફ્લાઇટ નંબર A320 મે-2020માં મલીરમાં મોડલ કોલોની પાસે આવેલ જિન્ના ગાર્ડનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ત્યારે, તેમ 91 મુસાફરો અને ચાલક દળના 8 સભ્યો સવાર હતા. આ વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. દુર્ઘટનામાં 2 મુસાફરોનો જ બચાવ થઈ શક્યો હતો. આ મામલે ગત વર્ષે તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં આ વાતોને લઈને પણ સલાહ આપવામાં આવી હતી.
પાકિસ્તાની મીડિયાએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલ A320 એરબસમાં 99 લોકો હતા તેમાંથી 97 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે માત્ર 2 જ લોકોના જીવ બચ્યા હતા. રિપોર્ટ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ રૂમ તરફથી પાયલોટને લગભગ અઢી વાગે જ્યારે રનવેથી તેનું અંતર માત્ર 15 નોટિકલ માઈલ હતું ત્યારે જ પહેલું એલર્ટ આપવામાં આવ્યું હતું. એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાયલટ વિમાનને 7000 ફૂટથી 10,000 ફૂટની ઊંચાઈએ લઈ જાય. પરંતુ, પાયલોટ તરફથી જવાબ મળ્યો હતો કે તે વિમાનની ઊંચાઈથી સંતુષ્ટ છે અને તેને સુરક્ષિત લેન્ડ કરાવી દેશે.
બાદમાં, જ્યારે ફ્લાઇટનું રનવેથી અંતર મયંત્ર 10 માઈલ રહી ગયું ત્યારે ATC દ્વારા બીજું એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે ફ્લાઇટની ઊંચાઈ 7000 ફૂટથી 3000 ફૂટ પર આવી ગઈ હતી. આ વખતે પણ પાયલોટને ઊંચાઈએ લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. આ વખતે પણ પાયલટે વિમાનને સુરક્ષિત ઉતારી દેવાની વાત કરી હતી.
જીવિત બચેલ લોકોએ વર્ણવી આપવીતી
દુર્ઘટનામાં જીવિત બચેલ લોકો માંથી એક હતા બેન્ક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ અને બીજા હતા મોહમ્મદ ઝુબેર. ઝુબેરે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે વિમાન સારી રીતે ઊડી રહ્યું હતું. પરંતુ લેન્ડિંગના થોડા સમય પહેલા 3 વખત જોરદાર આંચકાનો અનુભવ થયો હતો.


