- ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો જાહેરનામા દ્વારા વચનો રજૂ કરશે
- લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ દિલ્હીમાં 2 મેનિફેસ્ટો જાહેર કરશે
- 2 મેનિફેસ્ટોમાં એક કેન્દ્રીય સ્તરે અને બીજો દિલ્હી માટે હશે
ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો જાહેરનામા દ્વારા તેમના વચનો રજૂ કરે છે. ભાજપ પણ આવી જ રીતે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડે છે. પાર્ટી તેને સંકલ્પ પત્ર નામ આપે છે. પરંતુ આ વખતે પાર્ટી લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં એક નહીં પરંતુ બે મેનિફેસ્ટો જાહેર કરશે. એક મેનિફેસ્ટો સમગ્ર દેશ માટે કેન્દ્રીય સ્તરે પાર્ટી દ્વારા જારી કરવામાં આવશે, જ્યારે બીજો મેનિફેસ્ટો દિલ્હી માટે હશે.
લોકો પાસેથી લેવાઇ રહ્યા છે અભિપ્રાય
દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ જાણકારી આપી હતી કે, ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો જાહેરનામા દ્વારા તેમના વચનો રજૂ કરે છે. ભાજપ પણ આવી જ રીતે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડે છે. પાર્ટી તેને સંકલ્પ પત્ર નામ આપે છે. પરંતુ આ વખતે પાર્ટી લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં એક નહીં પરંતુ બે મેનિફેસ્ટો જાહેર કરશે. દિલ્હીના તમામ લોકસભા મતવિસ્તારો, વિધાનસભા ક્ષેત્રો અને વિભાગીય સ્તરે તમામ લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. પાર્ટીએ જાણવા માંગે છે કે, લોકો દિલ્હીમાં કયા સુધારા થતા જોવા માંગે છે. આવા તમામ મુદ્દાઓને ભાજપના ચૂંટણી પ્રચારમાં સામેલ કરવામાં આવશે. પાર્ટીનો દાવો છે કે, ચૂંટણી જીત્યા બાદ તે આ કામોને પૂર્ણ કરવા માટે કામ કરશે.
લોકસભા ચૂંટણી માટે દિલ્હી ભાજપ પૂરજોશમાં
દિલ્હીના ભાજપના તમામ સાતેય લોકસભા ઉમેદવારોએ સોમવારે મીડિયા સમક્ષ પોતપોતાના મતવિસ્તાર માટેનું વિઝન અને પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. જેમાં મૂળભૂત રીતે દિલ્હીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગેનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી લોકસભા મતવિસ્તારના ઉમેદવાર બાંસુરી સ્વરાજે કહ્યું કે તે લોકોને તે યોજનાઓનો લાભ આપવા માટે કામ કરશે જે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે બંધ કરી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકારે દિલ્હીના લોકોને આયુષ્માન યોજના જેવી જન કલ્યાણ યોજનાઓનો લાભ લેવા દીધો નથી. તેણે કહ્યું કે જો જરૂર પડશે તો તે આ માટે સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કરશે.
પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે, તેઓ પૂર્વ દિલ્હીમાં કચરાના પહાડને સમયબદ્ધ રીતે દૂર કરવાના પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીની ગંદકી અને કચરાનો નિકાલ કરવામાં સક્ષમ નથી. તેમનો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે તેમનો લોકસભા મતવિસ્તાર તેમજ સમગ્ર દિલ્હી સ્વચ્છ અને સ્વસ્થ રહે. ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારના ઉમેદવાર મનોજ તિવારીએ કહ્યું કે તેમના વિસ્તારમાં મહિલાઓના વિકાસ માટે નવા કેન્દ્રોની સ્થાપના તેમની પ્રાથમિકતા હશે.


