- કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું આવ્યુ સામે
- ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીના સંશોધનમાં ચોંકાવનારા તારણ આવ્યા સામે
- વિદ્યાર્થીઓએ અમદાવાદના 23 તળાવના પાણી પર કર્યું સંશોધન
અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ વિભાગના વિધાર્થી દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્વની વાત સામે આવી છે જેમાં અમદાવાદના તળાવનું પાણી સૌથી દૂષિત થયુ હોવાની વાત છે.વિધાર્થી દ્વારા 23 તળાવમાં પાણીમાં 18 પેરામીટર પર સંશોધન થયુ છે.અમદાવાદ એક પણ તળાવનું પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી અમદાવાદનું શાન ગણાતું કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદુષિત છે તો અમદાવાદ તળાવમાં પાણી જમીનને પણ કરી રહ્યું છે,નુકશાન 18 પેરામીટર PH,TDS,ઇલકેટ્રી કન્ડકટીવી,કલોરાઇડ, ફ્લોરાઇડ, સોડિયમ અને પોટેશિયમ સહિતના પેરા મીટરની કરી કાસણી,સંશોધનમાં આવેલા તારણ મુજબ અમદાવાદનું પાણી વપરાશમાં લેવાય તો કોલેરા,ફ્લોરોસિસ,બ્લુ બેબી અને ચામડીના રોગો થવાનો ભય રહેશે.
AMCએ પહેલા આપ્યો હતો રીપોર્ટ
અમદાવાદ એટલે ગુજરાતનું સૌથી મોટું શહેર. મેગા સિટીમાં વિકાસ તો ચારેતરફથી ફેલાઈ રહ્યો છે. પરંતું લોકો હજી પણ પાયાગત સુવિધાથી વંચિત છે. અમદાવાદમાં હાલ ચારેતરફ ખોદકામ અને ખાડા જોવા મળશે. આવામાં એક રિપોર્ટ કહે છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પીવા જેવું નથી. એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતુ.મદાવાદના વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુરના કેટલાક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા છે. amc હેલ્થ વિભાગ દ્વારા નિયમિત રીતે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવાતા રહે છે. વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે. ગેરકાયદે દબાણ અને ઝુપડપટ્ટીના કારણે સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રને મુશ્કેલી પડી રહી છે.
પહેલા પણ રીપોર્ટ સંતોષકારક નહી
રિપોર્ટમાં જવાબ અપાયો કે, પાંચ વોર્ડના વિવિધ પાંચ સ્પોટ પરથી લેવામા આવેલા સેમ્પલમાં ક્લોરીન રિપોર્ટ નીલ આવ્યો છએ. તેથી આ પાણીનો ઉપયોગ કરવો નહિ. આ ઉપરાંત આ પાણીમાં બેક્ટોરોજીકલ રીપોર્ટ પણ સંતોષકારક આવ્યો નથી.



