By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂપાલા વિવાદથી ભાજપના અગ્રણીઓની કસોટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

રૂપાલા વિવાદથી ભાજપના અગ્રણીઓની કસોટી

agragujaratnews
Last updated: 2024/04/09 at 8:36 PM
1 year ago
Share
રૂપાલા વિવાદથી ભાજપના અગ્રણીઓની કસોટી
SHARE

આખા દેશમાં મોટા મોટા પડકારો પાર પાડતી નેતાગરીનો રાજકોટમાં પડકાર આવ્યો છે થાય છે.

રૂપાલા વિવાદ ૧૬ દિવસ થયા છતાં કોઇ ઠારી કેમ નથી શકતું ?

રાજકોટ એટલે ભાજપનો ગઢ. રાજકોટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની રાજકિય કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડયા હતાં. તેઓ રાજકોટ ધારાસભાની ચૂંટણી લડી જીત્યા હતાં. રાજકોટના જ પાટીદાર નેતા કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં. રાજકોટના જ વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતાં. રાજકોટના જ વજુભાઇ વાળા ગુજરાતના સૌથી વધુ વખતના નાણા મંત્રી બન્યા હતાં. જેઓ પાછળથી કર્ણાટકના રાજયપાલ પદે રહયા હતા. જિલ્લા ભાજપની વાત કરીએ તો મોહનભાઇ કુંડારિયા બે ટર્મ માટે સાંસદ રહયા. જિલ્લા ભાજપ ઉપર  અને જિલ્લાના રાજકારણ ઉપર જયરાજસિંહનું વજન રહયુ. નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. ડો.ભરત બોઘરાએ ભૂતકાળમાં જે ભૂમિકા વિજયભાઇ રૂપાણી નિભાવતાં હતાં એ ભૂમિકા નિભાવતાં થયા. છેલ્લા થોડા સમયથી તેઓ સૌરાષ્ટ્રના કર્તા,હર્તા અને સમાહર્તા છે. કહેવાય છે કે સી.આર. પાટીલને તેમના ઉપર ખુબ ભરોસો છે. નવી ચૂંટણી વ્યવસ્થા ગોઠવાઇ. સૂરેશ ગોધાણી રાજકોટના મુખ્ય સંયોજક થયા. રમેશ રૂપાપરા સહસંયોજક છે.અથવા ચૂંટણી વ્યવસ્થાના કર્તા,હર્તા અને સમાહર્તા છે.રૂપાલાન રાજકોટ બેઠકના તેઓ વડા છે. એમની ચાણકય નીતિ અને રાજકોટ જિલ્લાની સોશિયલ એન્જિનિયરીંગ સેન્સ અંગે ન માત્ર સ્થાનિક નેતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુધી સૌને માન રહયુ છે. પાછળથી આ વ્યવસ્થામાં ઉમેરાયેલા ધનસુખ ભંડેરી, મિડિયામાં સેન્ડ બેગ બની રહેલાં પ્રવકતા રાજુ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ પ્રમુખ પુષ્કર પટેલ,પૂર્વ મુખ્યમંત્રીનો પડછાયો બનીને રહેલાં નીતિન ભારદ્વાજ ,મોહનભાઇ પટેલ, ચારેય ધારાસભ્ય રમેશ ટિલાળા, ઉદય કાનગડ,ભાનુબેન બાબરિયા (કેબિનેટ મંત્રી) દર્શનાબેન શાહ. આ ઉપરાં ભાજપના ક્ષત્રિય નેતાઓ ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ,આઇ.કે. જાડેજા, રાજકોટમા માંધાતાસિંહ જાડેજા વગેરે માટે પણ તેમના સમાજની સમજાવટ કરવામાં નિષ્ફળતા મળી એ બાબત આગળ જતાં પોસ્ટમોર્ટમ થશે.

Contents
આખા દેશમાં મોટા મોટા પડકારો પાર પાડતી નેતાગરીનો રાજકોટમાં પડકાર આવ્યો છે થાય છે.રૂપાલા વિવાદ ૧૬ દિવસ થયા છતાં કોઇ ઠારી કેમ નથી શકતું ?

આ તમામની શાખ હાલ દાવ ઉપર લાગી છે. આ ઉપરાંત રહી જતાં હોય એવા અનેક નામો કે જે શહેર ભાજપ અને જિલ્લા ભાજપમાં મહત્વની ભૂમિકા ભજવતાં હોય. તેમને માટે કારકિર્દીમાં મોટામાં મોટો પડકાર આવ્યો છે. આ નેતાઓ એક બાબતમાં નિષ્ફળ જઇ રહયા છે. સતત ૧૬ દિવસથી રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ઉભો થયેલો ક્ષત્રિયોનો વિવાદ ઠારવામાં સફળ થતાં નથી. શહેર ભાજપ નિષ્ફળ જતાં જિલ્લા ભાજપના નેતા જયરાજસિંહે ક્ષત્રિય સંમેલન બોલાવી વિવાદ પૂરો કરવા પ્રયાસો કર્યા. પરંતુ તેને પણ એક સપ્તાહ વીતિ જવા છતાં મામલો પૂરો થતો નથી.

હવે વાત જ્ઞાતિ વચ્ચેના વૈમનસ્યની આવી છે. બોટલમાથી નિકળી ગયેલા વિવાદના જીનને પુન: અંદર મોકલવા માટે પ્રયાસો ચાલુ છે. ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ મામલે જાહેરમાં માફી માંગી છે. ક્ષત્રિયોને મોટુ મન રાખી રૂપાલાને માફ કરી દેવા વિનંતી કરી છે. પરંતુ ગુજરાત ભાજપના કોઇ પણ નેતાની સાઇઝ કરતાં આ વિવાદ મોટો થઇ ગયો છે. રોજ રોજ નવા નવા ફણગાં ફુટે છે.

જેમના હાથમાં સતા છે  તેમના તરફ શંકાની સોય તંકાય છે. શરૂઆતમાં મામલાને હળવાશમાં લેવાનો ભાજપના નેતાનો ઓવરકોન્ફીડન્સ બુમરેંગ થયો છે. સતત ૧૬ દિવસ સુધી ચાલેલા આ વિવાદની આગમાં કોઇ ને કોઇ રોજ નવુ તેલ રેડી જાય છે. આટલા મોટા વિવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વાકેફ ન હોય એવુ માનવાને કારણ નથી.

લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતના મુદા સળગે અને તેની આગ બીજા રાજયોમા જાય એ ભાજપને પાલવે નહિ. પરંતુ હકિકત છે કે આ મુદો તુલ પકડી ગયો છે. સ્થાનિક નેતાને માટે પડકાર બની ગયો છે. હવે એવી ચર્ચા થવા માંડી છે કે આ મુદો ન માત્ર રૂપાલાને નુકસાન કરી રહયો છે. પરંતુ ભાજપને નુકસાન કરી રહયો છે. જો આવુ થશે તો ચુંટણી પછી આ સમગ્ર મામલાની હાઇકમાન્ડ તલસ્પર્શી તપાસ કરશે. તપાસ કરવાનું કારણ એ છે કે વડાપ્રધાનની સતાને આડકતરી રીતે રાજકોટમાં પડકારવામાં આવી છે. વડાપ્રધાનની અત્યાર સુધી અજેય બ્રાન્ડ ઇમેજને મોટો ફટકો રાજકોટમાં પડયો છે. ભાજપના ગઢમા પડયો છે. આ માટે કોઇ દોષીત હોય કે ન હોય પરંતુ મામલો હલ કરવાની ક્ષમતા નથી ધરાવતાં એ વાત હાઇકમાન્ડ સુધી પહોંચી જ હશે. દર્દ ઉભુ થયુ છે તો દવા પણ થશે એવુ ભાજપના ટોચના વર્તુળમાં ચર્ચાય છે. ઓપરેશ થશે. દર્દના કારણનું જડમૂળથી નિવારણ થશે એવું જાણકારો ચોકકસ કહે છે. કારણ કે વિવાદ ઠારવાના ઇરાદો હતો કે નહિ એ સવાલનો કોઇ જવાબ ન પણ મળે.પૂરાવા મળે ન પણ મળે. પરંતુ સ્થાનિક નેતાઓની ક્ષમતા ઉપર તો સવાલ ઉભો થયો જ છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
રાષ્ટ્રિય

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

By 5 days ago
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?